Ahmedabad

કોરોના મહામારીના વર્તમાન સમયમાં સફાઈનું ઉત્તમ અભિયાન ઈદ-ઉલ-અઝહા પ્રસંગે ‘સ્વચ્છ જુહાપુરા’ ઝુંબેશ હેઠળ કુરબાનીના પશુઓના બગાડના નિકાલ માટે પ્રશંસનીય પહેલ

(સરફરાઝ મનસુરી)
અમદાવાદ,તા.ર૮

 

 

‘પાકી’ (સ્વચ્છતા) અડધુ ઈમાન છે. ઈસ્લામમાં આ એક ખૂબ મહત્ત્વનો સિદ્ધાંત છે. ઈસ્લામમાં પોતાની જાતને, પોતાના ઘરને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવાનો ખાસ નિર્દેશ આપવામાં આવ્યો છે. હઝરત મુહમ્મદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)એ પણ સફાઈનું મહત્ત્વ સમજાવ્યું છે. ઈસ્લામ ધર્મના આ ઉત્તમ આદેશને જીવનમાં અમલી બનાવતા આગામી ઈદ-ઉલ-અઝહાના તહેવારને પગલે અલ-ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી ‘સ્વચ્છ જુહાપુરા અભિયાન’ હાથ ધરવામાં આવ્યું છે. આ ખાસ ઝુંબેશ હેઠળ સંસ્થાના કાર્યકરો દ્વારા કુરબાનીના પશુઓની હોજરી સહિતના કચરાના નિકાલ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જે હેઠળ પ્લાસ્ટિકની થેલીઓનું વિતરણ કરવામાં આવશે. લોકોને આ થેલીઓમાં હોજરી સહિતનો બગાડ ભરવાનો રહેશે અને ત્યારબાદ સંસ્થાના કાર્યકરો દ્વારા સમગ્ર જુહાપુરામાં ઘરે-ઘરે જઈ આ કચરો ઉપાડી તેનો જંતુનાશક દવાનો છંટકાવ કરી યોગ્ય નિકાલ કરવામાં આવશે.
અલ-ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટના અનિશ દેસાઈએ ‘ગુજરાત ટુડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે છેલ્લા ત્રણ વર્ષથી દર ઈદ-ઉલ-અઝહા પ્રસંગે આ કામગીરી કરીએ છીએ. પણ આ વખતે કોરોનાની મહામારીના કારણે વિશેષ તકેદારી દાખવવામાં આવી છે. આ કામમાં લગભગ ૩૦ જેટલા કાર્યકરો જોડાયેલા છે જેઓ ઘરે-ઘરે જઈ હોજરી સહિતનો કચરો ઉઘરાવે છે અને તેનો નિકાલ કરે છે. અમે એક પણ રૂપિયો લીધા વિના આ સેવા આપીએ છીએ, અમારો મુખ્ય ઉદ્દેશ સફાઈ રાખવાનો અને વિસ્તારમાં દુર્ગંધ ન ફેલાય તે માટેનો છે. આ કામ માટે અમે ચારથી પાંચ લોડિંગ રિક્ષાઓ અને દ્વિચક્રી વાહન સહિતના સંસાધનોનો ઉપયોગ કરી છીએ એટલુ જ નહીં અમે સ્વખર્ચે ત્રણ દિવસમાં આખા જુહાપુરાની સફાઈ કરી દવાનો છંટકાવ કરીશું. જેથી ઈસ્લામના સફાઈના ઉત્તમ વિચારને જીવંત બનાવી શકાય. અનિશ દેસાઈએ જણાવ્યું હતું કે, તેમની આ કામગીરીને મુખ્યમંત્રી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સંસ્થાઓ દ્વારા પણ બિરદાવવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કર્મચારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, આ સંસ્થાના કામથી અમને ખૂબ મદદ મળી રહે છે. લોકોમાં જાગૃતિ આવી છે અને તેઓ યોગ્ય રીતે આ બગાડનો નિકાલ કરવા સભાન બન્યા છે. સંસ્થા દ્વારા વિશાલાથી ફતેહવાડીના છેવાડાના વિસ્તાર સહિત સમગ્ર જુહાપુરામાં આ પ્રશંસનીય સેવા બજાવવામાં આવે છે. જુહાપુરામાં રહેતા આફતાબ અન્સારીએ જણાવ્યું હતું કે આ એક ખૂબ સારી કામગીરી છે. વધુથી વધુ લોકો આ સેવાનો લાભ લઈ વિસ્તારને સ્વચ્છ રાખે તે વર્તમાન સમયની માંગ છે.

ઈસ્લામના સ્વચ્છતાના મહત્ત્વપૂર્ણ આદેશને અમલી બનાવતાં અલ-ફલાહ
ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જુહાપુરામાં લોકો વચ્ચે વિનામૂલ્યે પ્લાસ્ટિકની મોટી થેલીઓનું વિતરણ કરી પશુઓની હોજરી સહિતના કચરાના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી વિસ્તારમાં સફાઈ રહે અને દુર્ગંધ ન ફેલાય

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
AhmedabadCrime

બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
Read more
AhmedabadGujarat

વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.