Gujarat

એસએસજીના સુપ્રિ.ડો. દેવેશ્વરને હટાવાયા : ડો. રંજન નવા સુપ્રિટેન્ડન્ટ

 

વડોદરા, તા.૩૦
એસએસજીમાં કોરોના દર્દીઓની સારવાર માટેના વહીવટમાં અંધેર ચલાવતા સુપ્રિન્ટેન્ડન્ટ ડો.દેવેશ્વરને એસએસજીમાંથી તાત્કાલિક અસરથી રાજ્ય સરકારે રવાના કર્યા છે. હવે તેઓ હિંમતનગર કોલેજના ડીન તરીકે ઓળખાશે. કોરોના મહામારીમાં દર્દીઓ એસએસજીમાં ઓક્સિજનના અપૂરતા સપ્લાય અને વેન્ટીલેટરના અભાવે મરી રહ્યાં હોવાની તેમજ ડિજિટલ એક્સ-રે મશીન વિના કલાકો સુધી રાહ જોવી પડી હોવાની ફરિયાદો ઊઠી હતી. એટલું જ નહીં કોરોનાની ૫૦૦ બેડની હોસ્પિટલ તૈયાર કરવાની હતી ત્યારે માંડ ૪૦૦ જ બેડ ચાર-ચાર મહિનામાં તૈયાર કર્યા હતા. આ દરમિયાન સુપ્રિન્ટેન્ડન્ટ તેમની રિનોવેટ થયેલી ઓફિસમાં સંગીતની મજા માણતા હતા. આ સિવાય પણ હોસ્પિટલ સ્ટાફ, મૃતદેહોના નિકાલ, બાયોમેડિકલ વેસ્ટના નિકાલ અંગે પણ ગંભીર ફરિયાદો કોરોના એડવાઈઝર ડો.મીનું પટેલ અને અશોક પટેલ સમક્ષ આવતાં તેમણે કોરોના ઓએસડી ડો.વિનોદ રાવને રિપોર્ટ કર્યો હતો. આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી હતી. આથી ડો.દેવેશ્વરને જીએમઈઆરએસ હિંમતનગરની મેડિકલ કોલેજના ડીનની ખાલી જગ્યા પર મૂકવામાં આવ્યા છે. જ્યારે એસએસજીના નવા સુકાની તરીકે ઈએન્ડટીના પ્રાધ્યાપક ડો.રંજન જી ઐયરને સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે કામગીરી સોંપવામાં આવી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.