National

જમ્મુ-કાશ્મીરમાં નેતાઓને મુક્ત કરો, ૪ય્ નેટવર્ક, પુનઃ સ્થાપિત કરો અને નિયંત્રણઓ હટાવી લો : સિટિઝન્સ ગ્રુપનો અનુરોધ

 

(એજન્સી)                તા.૨

ગઇ સાલ પ,ઓગસ્ટથી જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેનાર પાંચ મહાનુભાવોના બનેલા ધ કન્સલ્ડ સિટિઝન ગ્રુપે એક નિવેદન જારી કર્યુ છે. તેમણે આ નિવેદનમાં જણાવ્યું છે કે કાશ્મીરમાં અટકાયત હેઠળના નેતાઓને મુક્ત કરવા જોઇએ. ૪-જી નેટવર્કનું પુનઃ સ્થાપન કરવું જોઇએ અને નિંયત્રણો હટાવી લેવા જોઇએ. આ ગ્રુપમાં પૂર્વ વિદેશ પ્રધાન યશવંતસિંહા, લઘુમતી આયોગના પૂર્વ અધ્યક્ષ વજાહદ હબીબુલ્લા, એરવાઇસ માર્શલ (નિવૃત્ત) કપિલ કાક, પત્રકાર ભારતભૂષણ અને સામાજિક કર્મશીલ સુશોભા બરવેનો સમાવેશ થાય છે. નિવેદનમાં જણાવાયું છે કે જ્યારથી જમ્મુ અને કાસ્મીરનો વિશિષ્ટ દરજ્જો નાબૂદ કરવામાં આવ્યો છે ત્યારથી કાશ્મીરને ભારતની નિકટ લાવવાના, આંતકવાદનો અંત લાવવાના અને રાજ્યમાં વિકાસ લાવવાના જણાવેલા કોઇ લક્ષ્યાંકો સિદ્ધ થયાં નથી. તેના બદલે કાશ્મીરીઓએ ભારતીય રાજકીય નેતૃત્વ અને ન્યાયતંત્રમાં જે થોડો ઘણો વિશ્વાસ અને શ્રદ્ધા હતી તે પણ ગુમાવી દીધાં છે. સુપ્રીમકોર્ટને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન કાયદાના કાનૂની અને બંધારણ ઔચિત્યને પડકારનારી પિટિશન હાથ પર લેવા માટે કોઇ સમય મળતો નથી.તાજેતરના ભૂતકાળમાં ઘણા રાજકીય બિઝનેસ નેતાઓ અને વકીલોને છોડી મૂકવામાં આવ્યા છે તેમ છતાં હજુ ઘણા અટકાયત હેઠળ છે તેમાં પૂર્વ મુખ્ય પ્રધાન મહેબુબા મુફ્તીનો પણ સમાવેશ થાય છે. કેન્દ્રના પગલાને કારણે વિશ્વભરમાં માત્ર ટીકા જ નથી થઇ, પરંતુ માનવ અધિકારનું ઉલ્લંઘન થયું છે અને ઇસ્લામોફોબિયા ઊભો થયો છે. આ ગ્રુપે પ્રદેશમાં હાઇ સ્પીડ ઇન્ટરનેટ પર છેલ્લા એક વર્ષથી મૂકવામાં આવેલ પ્રતિબંધની વાત કરતાં જણાવ્યું હતું કે તેનાથી વિદ્યાર્થીઓ, નોકરીવાંચ્છુઓ, ઉદ્યોગ સાહસિકો, બિઝનેસ અને સમાન્ય નાગરિકો સરખી રીતે પ્રભાવિત થયાં છે અને બેંકિંગ, ટ્રેડ, બિઝનેસ અને હેલ્થ કેરમાં હાહાકાર મચી ગયો છે. ૧૪ લાખ બાળકો ઓનલાઇન શિક્ષણ લઇ રહ્યાં છે પરંતુ ૨-જી ટેકનોલોજી તેના માટે સક્ષમ નથી. આથી જમ્મુ-કાશ્મીરમાં ૪-જી કોમ્યુનિકેશન રિસ્ટોર કરવાની જરૂર છે.તમામ શાંતિપૂર્ણ રાજકીય પ્રવૃત્તિઓ પર નિયંત્રણો હટાવી લેવા જોઇએ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.