National

કુલ કેસો ૧૮ લાખને પાર, મૃત્યુઆંક ૩૮,૪૮૫ દેશમાં કોરોનાનો ઝડપી પ્રસાર, સતત છઠ્ઠી વખત બે દિવસમાં એક લાખ કેસ

એક દિવસમાં કોરોનાના ૫૨,૯૭૨ કેસ, ૭૭૧નાં મોત • કુલ કેસો  ૧૮,૩૦,૯૪૯ થયા, રિકવરી ૧૨ લાખને પાર, એક્ટિવ કેસોની સંખ્યા ૫,૮૫,૨૫૯ થઈ • એક્ટિવ કેસોમાં આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં હાલત ગંભીર

(એજન્સી) નવી દિલ્હી, તા.૩
સમગ્ર દેશમાં અનલોક-૩નો અમલ થરૂ થઈ ગયો છે અને પાંચ ઓગસ્ટથી જીમ-યોગા સંસ્થાઓને ખોલવાની મંજૂરી વચ્ચે ફરીથી કેસોની સંખ્યા ૫૦ હજારને પાર નોંધાઈ હતી. સોમવારે છેલ્લા ૨૪ કલાકના આંકડા જાહેર કરવામાં આવ્યા. કેસોની સંખ્યા ૧૮ લાખને પાર પહોંચી ગઈ હતી. આ જ સમયગાળામાં વધુ ૭૭૧નાં મોત થયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૫૨,૯૭૨ નવા કેસ નોંધાયા છે. નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧૮,૩૦,૯૪૯ થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૫૨ હજાર, ૯૭૨ દર્દીનો વધારો થયો છે. જ્યારે ૭૭૧ લોકોનાં મોત થયા છે જેમાંથી ૫ લાખ ૭૯ હજાર ૩૫૭ સક્રિય કેસ છે. સાથે જ અત્યાર સુધીમાં ૧૨ લાખ ૬ હજાર ૭૬૯ લોકો સાજા થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી ૩૮ હજાર ૪૮૫ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. રવિવારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૯૫૦૯ કેસો નોંધાયા હતા. ત્યારબાદ બીજા નંબરે આંધ્રમાં ૮૫૫૫ કેસો, તમિલનાડુમાં ૫૮૭૫ કેસો અને કર્ણાટકમાં ૫૫૩૨ કેસો એક જ દિવસમાં નોંધાયા હતા. દરમ્યાનમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે સોમવારે જણાવ્યું કે, દેશમાં ૨ ઓગસ્ટ સુધી બે કરોડ ૨ લાખ ૨ હજાર ૮૫૮ કોરોના ટેસ્ટ કરાયા છે. રવિવારે એક દિવસમાં રેકોર્ડ ૩ લાખ ૮૧ હજાર ૨૭ સેમ્પલની તપાસ કરાઈ છે. જ્યારે એક અન્ય અહેવાલ પ્રમાણે, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ઓક્સફોર્ડની કોરોના વેક્સિનના ભારતમાં બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને મંજૂરી આપી દેવાઈ છે. એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ તમામ પ્રકારની આકારણી પછી આ મંજૂરી આપી દીધી છે. બ્રિટનમાં ઓક્સફોર્ડની વેક્સિનના ૫ જગ્યાએ ચાલી રહેલા ટ્રાયલના પહેલાં તબક્કામાં સકારાત્મક પરિણામ સામે આવ્યા છે આનાથી લોકોમાં એન્ટિબોડીમાં વધારો જોવા મળ્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.