National

તામિલનાડુ સરકારના ધોરણ ૧૦ના તમામ વિદ્યાર્થીઓને પાસ જાહેર કરવાના નિર્ણયને મદ્રાસ હાઇકોર્ટે માન્ય રાખ્યો

(એજન્સી)    ચેન્નાઈ,તા.૨૬

મદ્રાસ હાઇકોર્ટે તમિલનાડુ સરકારના નિર્ણયમાં દરમિયાનગીરી  કરવા ઇન્કાર કરતા કહ્યું કે કોર્ટે સરકારના નીતિ વિષયક નિર્ણયોમાં પોતાની ચાંચ મારવી નહિ જોઈએ. એ સાથે કોર્ટે સરકારના નિર્ણયને પડકારતી અરજીઓ રદ્દ કરી હતી. સરકારે આ વર્ષે ૧૦માં ધોરણના બધા જ વિદ્યાર્થીઓને લેખિત પરીક્ષા લીધા વિના પાસ જાહેર કર્યા હતા.

રાજ્ય સરકારે ૯ અને ૧૦મી જૂને આદેશ પસાર કર્યો હતો અને શિક્ષણ બોર્ડે જણાવ્યું હતું કે આ વર્ષે મહામારીના લીધે ૧૦મા ધોરણના બધા જ વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વિના પાસ કરવામાં આવે છે. એમના ત્રિમાસિક અને છ માસિક દેખાવ અને હાજરી મુજબ મૂલ્યાંકન કરી માર્ક્સ આપવામાં આવશે. સરકારનો આ આદેશ રદ્દ કરવા માંગણી કરાઈ હતી.

અરજદારોએ કોર્ટને વિંનતી કરી હતી કે સરકારને આદેશ આપવમાં આવે કે અંતિમ વર્ષના પરિણામો મહત્વપૂર્ણ હોય છે એ માટે માર્ક્સ આપવા માટે સરકારે આંતરિક મૂલ્યાંકન માટે યોગ્ય અને વ્યાજબી સિસ્ટમ અપનાવવી જોઈએ અને વિદ્યાર્થીઓને માર્કશીટ પણ આપવી જોઈએ.

હાઇકોર્ટે અરજી રદ્દ કરતાં જણાવ્યું કે સરકારે માર્ક્સ આપવા માટે સંપૂર્ણ વિચારણા કર્યા પછી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી યોગ્ય સિસ્ટમ અપનાવી હશે. કોર્ટે કહ્યું કે સરકારની સિસ્ટમથી ઘણા વિદ્યાર્થીઓ સહમત નહિ પણ હોઈ શકે અને તેઓ કંઇક બીજી પદ્ધતિ વિચારતા હશે. કોર્ટે કહ્યું કે એકમાત્ર આ કારણના લીધે અમે સરકારના નિર્ણયમાં દરમિયાનગીરી નહિ કરીએ. અમુક એવા ક્ષેત્રો હોય છે જે સંપૂર્ણપણે સરકારને સોંપવા જોઈએ અને કોર્ટે વારેઘડીએ સરકારની કામગીરીમાં દાખલ ના કરવી જોઈએ. જો કોર્ટ સંતુષ્ટ હોય કે સરકારનો નિર્ણય મનસ્વી, અયોગ્ય, પૂર્વગ્રહયુક્ત અને ગેરવ્યાજબી નથી તો કોર્ટે સરકારના નીતિવિષયક નિર્ણયોમાં પોતાની ચાંચ ડૂબાડવી ના જોઈએ.

 

 

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.