Gujarat

જૂનાગઢના પ્રાણી સંગ્રહાલયમાંથી ફરાર થયેલો દીપડો પાંજરે પૂરાયો

જૂનાગઢ, તા.૧ર
જૂનાગઢના વિશ્વવિખ્યાત સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ઝુમાંથી એક દિપડો ફરાર થઈ જવાની ઘટનાને પગલે ભારે દોડધામ મચી જવા પામી હતી. અને નાશી છૂટેલા દીપડાને પાંજરે પૂરવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી. આખરે આ દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી છે. આ અંગેની પ્રાપ્ત થતી વિગત અનુસાર સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના નિયામક ડૉ.અભિષેકકુમારની એક યાદીમાં જણાવ્યા અનુસાર સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના બીજા વિભાગમાં રાખવામાં આવેલ દીપડો (ઉ.વ.૯) પાંજરાની સાફ-સફાઈની દૈનિક કામગીરી દરમ્યાન આકસ્મિક રીતે તા.પ-૯-ર૦ર૦ના રોજ ઝુમાંથી ભાગી ગયો હતો. અને જેને કારણે ઝૂ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દીપડાની શોધખોળ શરૂ કરી હતી. દરમ્યાન ઝૂના પાછળના ભાગમાં સતત તેના પગલાના નિશાનને મોનીટર કરી અને અલગ-અલગ પાંચ જગ્યાએ પાંજરા મૂકવામાં આવેલ હતા. દરમ્યાન તા.૧૧-૯-ર૦ર૦ની રાત્રીના ૧ર.૩૦ કલાકે આ દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી અને તેને સલામત જગ્યાએ રાખવામાં આવ્યો હોવાનું ઝૂ સત્તાધીશોએ જણાવ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.