National

ભાગવતને ચીનનો ડર હોવાથી જમીન પચાવ્યાનું સત્ય બોલી શકતા નથી : રાહુલ ગાંધી

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૫
લદ્દાખમાં ભારત અને ગતિરોધ વચ્ચે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. આ વખતે રાહુલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પર નિશાનો સાધ્યો છે. દશેરા પ્રસંગે ભાગવતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ચીને ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી હતી પણ ભારતીય જવાનોના જવાબથી ચીન ડરી ગયું. આ ટિપ્પણી અંગે રાહુલે જણાવ્યું હતું કે, ભાગવત સત્ય જાણે છે. પણ તેઓ સચ્ચાઈનો સામનો કરવાથી ગભરાય છે.
સંઘના પ્રમુખ મોહન ભાગવતે દશેરાના સંબોધન વખતે દાવો કર્યો હતો કે, નાગરિકતા સુધારા કાયદા અંગે મુસ્લિમોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, મુસ્લિમ સમુદાય વચ્ચે એવો ભ્રમ પેદા કરવામાં આવી રહ્યો છે કે, આ કાયદો તેમની વસ્તી ઘટાડવા માટે છે. આ કાયદો કોઈ ધર્મ વિરૂદ્ધ નથી. પણ જે લોકો આ કાયદાનો વિરોધ કરવા માંગે છે, તેઓ આપણા મુસ્લિમ ભાઈઓને ખોટા માર્ગે દોરી રહ્યા છે.
ભાગવતના નિવેદન બાદ રાહુલે રવિવારે ટિ્વટ કરી જણાવ્યું હતું કે, અંદરખાને ભાગવત હકીકત જાણે છે પણ તેઓ તેનો સામનો કરી શકતા નથી. સચ્ચાઈ એ છેે કે, ચીને આપણી જમીન પચાવી પાડી છે. ભારત સરકાર અને સંઘે ચીનને આ અંગે મંજૂરી આપી છે. રાહુલે જણાવ્યું હતું કે, દુનિયા આખી જોઈ રહી છે કે, કેવી રીતે ચીન ભારતીય વિસ્તારોમાં અતિક્રમણ કરી રહ્યું છે. ચીનના વિસ્તારવાદી વલણથી સૌૈ કોઈ વાકેફ છે. ચીન અનેક દેશો જેમ કે, તાઈવાન, વિયેતનામ, અમેરિકા, જાપાન અને ભારત સામે અવળચંડાઈ કરી રહ્યું છે. પરંતુ ભારતની પ્રતિક્રિયાથી ચીન ગભરાઈ ગયું છે. ભાગવત સચ્ચાઈને સામે લાવવાથી ડરી રહ્યા છે. ચીને આપણી જમીન પચાવી પાડી છે તે એક હકીકત છે. ભારત સરકાર અને સંઘની તેને મૂક સંમતિ પણ છે. દશેરા પ્રસંગે દર વર્ષની જેમ આ વખતે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય મથક નાગપુરમાં શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. સંઘના વડા મોહન ભાગવતે તેમના સંબોધનમાં દેશની ઘણી મહત્ત્વપૂર્ણ બાબતો તરફ ધ્યાન દોર્યું હતું. ભાગવતે ચીનના મામલે પીએમ મોદીની પીઠ થપથપાવાની સાથે ભાગવતે ચીનના બેવડા વલણથી સાવચેતી રાખવાનું કહ્યું. આરઆરએસ વડાએ કહ્યું, ‘ચીનના વિસ્તારવાદી સ્વભાવને બધા જ જાણે છે. આ વખતે તે એક સાથે તાઈવાન, વિયેતનામ, અમેરિકા, જાપાન અને ભારત સાથેની લડાઈમાં ઉતર્યું. પરંતુ આ વખતે તફાવત છે. આ વખતે ભારતે તેની સામે પ્રતિક્રિયા આપી, તેના કારણે તે ફફડી ગયું, તેને ધ્રાસકો લાગ્યો. કારણ કે, ભારત મક્કમતાથી ઊભું રહ્યું. ભારતીય સેનાએ પોતાની બહાદૂરી બતાવી, ભારતના નાગરિકોએ દેશભક્તિનો પરિચય દેખાડ્યો. ચીન પર નિશાન સાંધતા મોહન ભાગવતે કહ્યું કે, આપણે શાંત રહીએ છીએ તેનો મતલબ એ નથી કે આપણે દુર્બળ છીએ. એ વાતનો અહેસાસ તો હવે ચીનને પણ થઈ ગયો છે. પરંતુ એવું નથી કે ત્યારબાદ આપણે બેદરકાર થઈ જઈએ. આવા ખતરાઓ પર નજર બનાવી રાખવી પડશે. મોહન ભાગવતે કહ્યું કે, આપણે બધાની સાથે મિત્રતા ઈચ્છીએ છીએ.
તે આપણો સ્વભાવ છે. પરંતુ આપણી સદ્ભાવનાને દુર્બળતા માનીને પોતાના બળના પ્રદર્શનથી કોઈ ભારતને ઈચ્છે તેમ નચાવી લે, ઝૂકાવી લે એ બની જ ના શકે, આટલું તો અત્યાર સુધી આવું દુઃસાહસ કરનારાઓને સમજમાં આવવું જોઈએ. નાગપુરમાં આરએસએસ હેડક્વાર્ટરમાં પોતાના સંબોધન પર સર સંઘના સંચાલક મોહન ભાગવતે કહ્યું કે, વ્યૂહાત્મક અને આર્થિક દૃષ્ટિકોણથી તેમને ખૂબ ધક્કો તો લાગ્યો છે તેના લીધે બાકીની દુનિયાએ પણ ચીનને ઠપકો આપવાનું શરૂ કરી દીધું છે તેની સામે ઊભા રહેવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે, તેના કારણે હવે વધુ સજાગ રહેવું જરૂરી છે. કારણ કે, જે વિચાર્યું ન હતું, તે પરિસ્થિતિ તેની સામે ઊભી થઈ છે. તેના જવાબમાં તે શું કરશે તે ખબર નથી. તેનો ઉપાય સાવધાની અને વ્યૂહાત્મક તૈયારી છે. વ્યૂહાત્મક, આર્થિક અને રાજદ્વારીમાં આપણે ચીન કરતા મોટા બનવું પડશે. આપણે આ કરતા રહેવું પડશે, જો આપણે આ કરીશું તો જ આપણે ચીનને રોકી શકીશું. કોરોના પર બોલતા સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, કોરોનાના લીધે ઘણા બધા વિષય બંધ થઈ ગયા. ભારતમાં આ મહામારીની વિનાશકતાનો પ્રભાવ બાકી દેશો કરતાં ઓછો દેખાઈ રહ્યો છે, તેના કેટલાક કારણો છે. કોરોનાના માર એ કેટલીય સાર્થક વાતોની તરફ આપણું ધ્યાન ખેંચ્યું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.