Site icon Gujarat Today

તિરૂમાલા મંદિરે પગપાળા જનારા બેભાન થયેલા બે લોકોને મુસ્લિમ પોલીસ જવાને બચાવ્યા

(એજન્સી) તા.૨૫
જંગલના માર્ગે ચાલીને તિરૂમલા મંદિરે જનારા બે યાત્રીઓ બેભાન થઈ ગયા હતા. જો કે, તેમની વહારે એક મુસ્લિમ જવાન આવ્યો હતો, તે એક પોલીસ કોન્સ્ટેબલ છે. આ પોલીસ કોન્સ્ટેબલની ઓળખ શેખ અરશદ તરીકે થઈ હતી. અરશદે યાત્રીને ખભા પર ઊંચકી આશરે ૬ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આ ઘટના બુધવારે બની હતી જેની ભારે પ્રશંસા પણ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ખૂબ જ ઓછા શ્રદ્ધાળુઓ જંગલના માર્ગે ચાલીને તિરૂમલા ભગવાન બાલાજીના મંદિરે દર્શન કરવા પહોંચે છે. બુધવારે અમુક યાત્રીઓ પર્વત પર જંગલના માર્ગે ચાલીને આગળ વધી રહ્યા હતા. ત્યારે આ બે યાત્રીઓ બેભાન થઈ ગયા હતા, તે સમયે અરશદ નામનો પોલીસ કોન્સ્ટેબલ ત્યાં તહેનાત હતો તે જ આ બંનેની વહારે આવ્યો હતો. નાગેઆવરમ્માને આ દરમિયાન પર્વત પર ચઢતી વખતે બ્લડ પ્રેશર વધી જવાની સમસ્યા સર્જાઈ હતી. અરશદે આ દૃશ્ય જોઈ લીધો હતો. ગાઢ જંગલમાં પોતાના ખભા પર ઊંચકીને અરશદ જ તેમને બચાવી લાવ્યો હતો. ત્યારબાદ રોડ પર પહોંચીને ત્યાંથી વાહન મારફતે તેમને હોસ્પિટલે પહોંચાડ્યા હતા.

Exit mobile version