National

અમારા મતદારો રજા પર છે; હરિયાણાની સ્થાનિક એકમની ચૂંટણીમાં દયનીય પ્રદર્શન અંગે ભાજપની પ્રતિક્રિયા

 

(એજન્સી) તા.૩૧
હરિયાણામાં પાંચમાંથી ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુમાવનારા ભાજપ તરફથી હવે સફાઈ આપવામાં આવી રહી છે. ભાજપ અને તેના સહયોગી પક્ષ જનતા જનનાયક પાર્ટીએ સોનીપત અને અંબાલામાં બુધવારે મેયરની રેસમાં પરાજયનો સ્વાદ ચાખ્યો હતો.
જે ત્રણ બેઠક ગુમાવી છે તેમાંથી હિસારની ઉકાલના અને રેવારીની ધારૂહેરા ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાના ગઢ સમાન છે. હરિયાણા ભાજપના પ્રવક્તા સંજય શર્માએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ૨૫,૨૬ અને ૨૭ ડિસેમ્બરે રજાઓ હતી.
તેમણે કહ્યું કે તમે બધા જાણો જ છો કે આ વર્ષનો અંત છે અને રજાઓની ભરમાર છે. લોકો મોટા મોટા પ્રવાસ પર ફરવા નીકળી ગયા છે. દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે જે લોકો ફરવા ગયા છે તેમાંથી મોટાભાગના લોકો ભાજપની વોટબેન્ક છે.
ઉલ્લેખનીય છે કે ભાજપ અને જેજેપીએ સાથે મળીને હરિયાણામાં સત્તામાં બિરાજમાન થયાને એક જ વર્ષ થયું છે ત્યાં આ પરાજયનો સ્વાદ તેમના માટે કડવો બની રહ્યો છે. છેલ્લે મહિનાથી પણ વધુ સમયથી દિલ્હી સરહદે કરવામાં આવી રહેલા ત્રણેય કૃષિ કાયદા વિરોધી દેખાવોને લીધે પણ ભાજપની હાલત કથળી છે.
કેન્દ્રમાં પણ ભાજપની જ છે સરકાર છે અને ખેડૂતો દ્વારા આખા રાજ્યમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે. અંબાલામાં ખેડૂતોએ આ દરમિયાન ભાજપના પરાજયની ઉજવણી કરી હતી અને તેઓએ મીઠાઈઓ પણ વહેંચી હતી. આ દરમિયાન ગીતો વગાડીને નૃત્ય પણ કરવામાં આવ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.