Site icon Gujarat Today

મુસ્લિમ એકતા મંચ દ્વારા ખ્વાજા ગરીબ નવાઝની શાનમાં ગુસ્તાખી કરનાર શખ્સ સામે કડક કાર્યવાહીની માંગ

 

જૂનાગઢ, તા.૮
ભારત સહિત વિશ્વભરના દરેક ધર્મના લોકો માટે આસ્થાનું કેન્દ્ર અજમેર શરીફની દરગાહ અને હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી (ર.અ.)ની શાનમાં ગુસ્તાખી કરનાર શખ્સ વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ મુસ્લિમ એક્તા મંચ દ્વારા કરાઈ છે. વિશ્વ પ્રસિદ્ધ સૂફીસંત હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી( ર.અ.) વિરૂદ્ધ અપમાનજનક અને અભદ્ર ટિપ્પણી કરનાર સાધુ જેવા લાગતા શૈતાન શખ્સે ઝેર ઓકી ગુસ્તાખી કરી સમગ્ર દેશની એકતા અને ભાઈચારામાં પલીતો ચાપવાનો પ્રયાસ કરતા તેના ભારતભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેથી મુસ્લિમ એકતા મંચ ગુજરાતના અધયક્ષ ઈમ્તિયાઝ પઠાણની આગેવાનીમાં સમગ્ર ગુજરાતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજરોજ મુસ્લિમ એકતા મંચ ભાવનગરના હોદ્દેદારો સાજીદભાઈ તેલિયા, સલીમ કુરેશી, આકીબ બાવાણી, સાદીકભાઈ મનપસંદ, સલીમ હબીબાણી, મજીદ મકવાણા, આસીફ અજમેરી, આસીફ મીયાવા, એઝાઝ શેખ સહિતના આગેવાનોએ ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઝેર ઓકનાર શખ્શ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી.

Exit mobile version