Gujarat

ભાજપ છોડી ‘આપ’માં જોડાયેલ લાખાણીની સરદાર પટેલ સ્ટેડિયમનું નામ યથાવત્‌ રાખવા મુખ્યમંત્રી સમક્ષ માગણી

અમરેલી, તા.૧૫
અમરેલીમાં હાલમાં જ ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયેલ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શરદ લાખાણીએ રાજ્યના નવા વરાયેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખૂલ્લો પત્ર પાઠવી જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી પદ માટે આપની પસંદગી માત્ર જ્ઞાતિ આધારિત પાટીદાર હોવાથી થઈ છે. શરદ લાખાણીએ પત્રમાં વધુ જણાવ્યું હતું કે, આપની લાયકાત માત્ર પાટીદારની છે. શરદ ધાનાણીએ આ પત્રમાં જણાવ્યું હતું કે, રાજ્યના મારા તમામ પાટીદારો ભાઈઓ એ ઈચ્છે છે કે, આપની પહેલી જ કેબિનેટ બેઠકમાં સરદાર પટેલ સ્ટેડિયમનું જે નામ બદલવામાં આવેલ છે તેને પુનઃ સરદાર પટેલ સ્ટેડિયમ કરવામાં આવે.
તેમજ પાટીદાર આંદોલન કે અન્ય સમાજના આંદોલન દરમ્યાન આંદોલનકારીઓ ઉપર ફરિયાદો થઈ છે, તે પરત ખેંચવી તેમજ આંદોલન દરમ્યાન મૃત્યુ પામ્યા છે, તેનો ઓર્ડર આપનાર અધિકારીઓ કે પદાધિકારીઓ ઉપર બંધારણીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવે. તાનાશાહોએ પસંદગી પાટીદારોના મત મેળવવા કરી હોઈ તો ખાંડ ખાવ છો તેવો પણ કટાક્ષ પત્રમાં કરેલ છે. હવે પાટીદારો જ નહીં ગુજરાતનો કોઈ સમાજ કે વ્યક્તિ ઉલ્લુ નહીં બને. ગુજરાતમાં કોના ઈશારે સરકાર ચાલે છે તે બધા જ ગુજરાતીઓને ખબર છે, ગુજરાતના નાગરિક હવે બધુ જ સમજી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શરદ ધાનાણી છેલ્લા ૨૫ વર્ષથી ભાજપમાં જોડાયેલ એક સક્રિય આગેવાન હતા, પરંતુ ભાજપની રીતિ નીતિ અને અવગણના જેવી કાર્યશૈલીના કારણે તેમણે ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયેલ હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.