National

જો ભાજપને હરાવવા માટે મુસ્લિમો એક થાય તો શું થઈ શકે ?

(એજન્સી)                લખનૌ, તા.૧૯
યોગી આદિત્યનાથ બીજી વખત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનવાના છે. તેમણે નિયમિતપણે તેમના ભાષણો અને તેમની સરકારની નીતિઓ દ્વારા તેમના મુસ્લિમ વિરોધી વિચારો વ્યક્ત કર્યા છે. રાજકીય નિષ્ણાતો માને છે કે, તેમની મુસ્લિમ વિરોધી છબીને કારણે તેમની તરફેણમાં હિન્દુ મતો આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, ઉત્તરપ્રદેશના મુસ્લિમો મતદાનના પરિણામથી પરેશાન દેખાતા નથી. યોગી આદિત્યનાથ ૨૦૧૭માં મુખ્યમંત્રી બન્યા પછી જે પ્રકારનો ડર અને આશંકા તેઓ અનુભવી રહ્યા હતા તે હવે આ સમુદાયમાં દેખાતી નથી. બૈઝાત બારી પુસ્તકના લેખક અલીમુલ્લાખાને આ વાતનો ખુલાસો કર્યો છે કે, મુસ્લિમોને સમજાયું છે કે, તેઓએ સૌથી ખરાબ સમય જોઈ લીધો છે અને હવે તેમનો ડર દૂર થઈ ગયો છે. આ સકારાત્મક બાજુ મુદ્દે ખાને કહ્યું કે, સમુદાયના સભ્યો હવે શિક્ષણ તરફ વધુ ઝુકાવ ધરાવે છે. યુવાનો ખોટો સમય પસાર કરતા જોવા મળતા નથી. સમસ્યા માત્ર સત્તા કેન્દ્રો અને જનપ્રતિનિધિઓની નજીક રહેતા અને સત્તાના ગલિયારાઓમાં ઘૂમનારા લોકોને છે. સામાન્ય મુસ્લિમે મતદાન કર્યું છે અને તેમનું કામ હવે પૂરૂં થઈ ગયું છે. ઉત્તરપ્રદેશ ચૂંટણીના ડેટા દર્શાવે છે કે, મુસ્લિમોએ એકતરફી મતદાન કર્યું છે. ઝ્રજીડ્ઢજીના સર્વે મુજબ, ૨૦૧૭માં ૪૬%ની સરખામણીમાં ૮૩% મુસ્લિમોએ સમાજવાદી પાર્ટીને મત આપ્યો છે. પ્રિયંકા ગાંધીએ મુસ્લિમ સમુદાયના મુદ્દા ઊઠાવ્યા તો પણ માત્ર ૩% મુસ્લિમોએ જ કોંગ્રેસને મત આપ્યો છે. આ વલણનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, મુઝફ્ફરનગરની મીરાપુર વિધાનસભા સીટ પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડેલા મૌલાના જમીલ અહેમદ કાસમીને માત્ર ૧૨૫૩ વોટ મળ્યા હતા અને કોંગ્રેસના મોટા નેતા અને સ્ટાર પ્રચારક સલમાન ખુર્શીદની પત્ની લુઈસ ખુર્શીદને ફર્રૂખાબાદથી માત્ર ૨૦૦૦ વોટ મળ્યા હતા. ઉત્તરપ્રદેશમાં મુસ્લિમોના સૌથી મોટા સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદ (ત્નેંૐ)ના પ્રવક્તા મૌલાના મુસા કાસ્મીએ કહ્યું છે કે, મુસ્લિમ મતદારોમાં કોઈ મૂંઝવણ નથી. મુસ્લિમો તેમના ૧૯ ટકાના વોટ શેરને એકજૂથ રાખવામાં ઘણી હદ સુધી સફળ રહ્યા હતા, પરંતુ ભાજપ સરકારના વિપક્ષ માટે વોટ શેરની ગણતરીને ૪૨ ટકા સુધી લઈ શક્યા નથી, મુસ્લિમોને આશ્વાસન છે કે, અગાઉની ચૂંટણીમાં ૨૩ની સરખામણીમાં આ વખતે ૩૬ મુસ્લિમ ઉમેદવારો જીત્યા છે. ઉત્તરપ્રદેશમાં ધારાસભ્યોની સંખ્યાને લઈને મુસ્લિમોમાં પણ ચર્ચા ચાલી રહી છે. ૨૦૧૭ની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ૧૭, બસપાના ૪ અને કોંગ્રેસના ૨ મુસ્લિમ ધારાસભ્યોએ ચૂંટણી જીતી હતી. આ વખતે સમાજવાદી પાર્ટીના ૩૦, આરએલડીના ૨ અને સપાના ૨ મુસ્લિમ ધારાસભ્ય બન્યા છે. બાગપતના અહેમદ હમીદ, એસપીના મુરાદાબાદના યુસુફ અંસારી, ધામપુરના નૈમલ હસન સહિત અડધો ડઝન ઉમેદવારો ખૂબ જ નજીકના માર્જિનથી ચૂંટણી હારી ગયા હતા. સપા ગઠબંધનમાં ૬૩ મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. ત્રણ બેઠકો પર ગઠબંધનના મુસ્લિમ ઉમેદવારની હારનું માર્જિન છૈંસ્ૈંસ્ના ઉમેદવાર કરતા ઓછું હતું. એક ડઝન સીટો પર બસપા અને સપા ગઠબંધનના ઉમેદવારની હારનું કારણ બન્યું છે. સહારનપુરના રાજકારણી ફિરોઝ આફતાબ સહમત થાય છે કે, મુસ્લિમ મતો આ વખતે વિભાજિત થયા નથી અને મુસ્લિમો દરેક પક્ષ સાથે છે તે સિદ્ધાંત ખોટો સાબિત થયો છે. રોગચાળાના ગેરવહીવટ, બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ સમગ્ર વર્ગના લોકોને અસર કરી રહ્યા છે અને મુસ્લિમો માટે તે વિશિષ્ટ નથી. આપણે અલગ રીતે પ્રતિક્રિયા આપવાની જરૂર નથી કારણ કે આ પરિબળો પહેલેથી જ અસ્તિત્વમાં છે, ભાજપ સામે ૩૨ ટકા વોટ શેર એ એક મોટી સિદ્ધિ હતી. મેરઠના એડવોકેટ ઝફર અહેમદે કહ્યું કે, આ વખતે રાજ્યના મુસ્લિમોએ વાસ્તવિકતા સાથે સમજૂતી કરી લીધી છે કે, સરકારની રચનામાં તેમની ભૂમિકા મર્યાદિત છે.
(સૌ. : ટુસર્કલ.નેટ)

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.