Site icon Gujarat Today

પુથલાપટ્ટુના ઉમેદવારે કહ્યું કે, દલિતો અને લઘુમતીઓ કોંગ્રેસમાં પાછા આવી રહ્યા છે

ચિત્તુરમાં પાર્ટીના ઉમેદવાર એમ.એસ. બાબુની હાજરીમાં ઇરાલા અને યાદમરી મંડળોના લગભગ ૨૦૦ પરિવારો કોંગ્રેસમાં જોડાયા

(એજન્સી) તા.૧૨
પુથલાપટ્ટુ વિધાનસભા મતવિસ્તાર (જીઝ્ર)ના કોંગ્રેસના ઉમેદવાર એમ.એસ. બાબુ જેમણે તાજેતરમાં રૂજીઇઝ્રઁ પક્ષ પ્રત્યેની વફાદારી બદલી છે તેમણે કહ્યું કે, ‘ભાજપનું શાસન’ તેમની સલામતી માટે હાનિકારક હશે તે સમજીને, દલિતો અને લઘુમતીઓ કોંગ્રેસના પક્ષમાં પાછા આવી રહ્યા છે. ૧૦ મેના રોજ ઇરારલા મંડલના મુખ્યાલયમાં ડોર-ટુ-ડોર ઝુંબેશ દરમિયાન બાબુએ જણાવ્યું હતું કે, રૂજીઇઝ્રઁ શાસન દરમિયાન દલિતો અને લઘુમતીઓ રોજગાર અને સશક્તિકરણની તકો વિના ગરીબ હતા. તેમણે આરોપ લગાવ્યો કે, ‘દલિતો માટે સ્થપાયેલા કલ્યાણ નિગમો ્‌ડ્ઢઁ અને રૂજીઇઝ્રઁ શાસન હેઠળ નિષ્ક્રિય થઈ ગયા હતા.’ ૧૦ મે (શુક્રવાર)ના રોજ ચિત્તૂરમાં બાબુની હાજરીમાં ઇરાલા અને યાદમરી મંડળોના લગભગ ૨૦૦ પરિવારો કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે કહ્યું કે, રૂજીઇઝ્રઁ અને ટીડીપી તેમની જાતિ આધારિત રાજનીતિ માટે જાણીતા છે તેમણે એસસી અને એસટીના કલ્યાણની કિંમતે ઉચ્ચ જાતિઓને દલિતોનું કાર્યક્ષેત્ર આપ્યો હતો. તેમણે કહ્યું કે, “વાય.એસ. શર્મિલાના કોંગ્રેસમાં પ્રવેશ પછી, પાર્ટીને તેનું જીવન પાછું મળ્યું છે. દલિતો અને લઘુમતીઓ કોંગ્રેસના વારસાની રાહ જોઈ રહ્યા છે. રાહુલ ગાંધીની કડપાની મુલાકાત ચોક્કસપણે પાર્ટી કેડરનું મનોબળ વધારશે.”

Exit mobile version