
(એજન્સી) તા.ર૩
દલિત કવિ અને શોધકર્તા તેમજ અનુવાદક લકકુર આનંદ સોમવારે ગુલબર્ગ જિલ્લામાં કર્ણાટક કેન્દ્રીય યુનિવર્સિટી પાસે મૃત મળી આવ્યા ૪૪ વર્ષીય વ્યકિત યુનિવર્સિટીના કન્નડ વિભાગમાં પીએચડી વિદ્વાન હતા. યુનિવર્સિટીના એક પીએચડી વિદ્વાને જણાવ્યું કે આનંદને મૃતદેહ સ્થાનિક લોકોને મળ્યો જેમણે પોલીસને સૂચના આપી. તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા. ત્યાર પછી તેને કોલાર સ્થિત તેમના ઘર મોકલવામાં આવ્યો તેમના મૃતદેહને ઘર પરત મોકલવા માટે કોઈ પહેલ ના કરવા બદલ યુનિવર્સિટીના અધિકારીઓની ટીકા કરવામાં આવી રહી છે. તેમના મૃતદેહને ઘર પરત મોકલવા માટે મંત્રી પ્રિયંકા ખડગેએ જરૂરી પગલાં ભર્યા લકકુર આનંદ કોલાર જિલ્લાના મૂળ રહેવાસી છે. તેમણે કોંગ્રેસે શેષાદ્રપૂરમ કોલેજમાં કન્નડ વ્યાખ્યાના તરીકે કામ કર્યું છે. અત્યાર સુધી તેમનું એક શોધ પુસ્તક પાંચ કવિતા સંગ્રહ અને કવિતાના પાંચ અનુવાદ પ્રકાશિત થઈ ચુકયા છે. અભિનવ પ્રકાશને રાની શિવશંકર શર્માની કોની બ્રાહ્મણા પ્રકાશિત કરી છે જેનું હાલમાં જ લકકુર આનંદે અનુવાદ કર્યું છે. મૃતક કવિ અને વિદ્વાને અનેક પુરસ્કાર જીત્યા છે જેમાં આનંદ કેન્દ્ર સાહિત્ય એકેડેમી યુવા પુરસ્કાર, આંધ્રનો શ્રીશ્રી કાવ્ય, દિલ્હીનો દલિત સાહિત્ય પરિષદ પુરસ્કાર ડુ નિમબેલાગલી પુરસ્કાર, વિભા સાહિત્ય પુરસ્કાર, કકેનગેડીતુ શંકરભટ્ટ પુરસ્કાર અને ડો. ટીપરૂદ્ર સ્વામી પુરસ્કાર સામેલ છે. તેમણે પોતાના તમામ પુરસ્કાર પીડિત સમુદાયોને સમર્પિત કરી દીધા હતા. શહેર સે શહેરતક, બીસ પથ્થરો પર, અપ્રાપ્ત રસીદ, ઈતિ નીન ધ્યેન, ઉરીવા કાંતા, દીપા તેમના કવિના સંગ્રહ છે. સ્મૃતિ કિનાંથમ, કોન બ્રાહ્મણ, આકાશ દેવ, નાગના મુનિની વ્યાપક વાર્તાઓ તેમની અનુવાદિત કૃતિઓ છે.