Downtrodden

આધારભૂત અવાજ સંસદમાં ગૂંજશે : દલિત, આદિવાસીનેતાઓએ મોદી સરકાર માટે પડકાર ઊભો કર્યો

સામાજિક રીતે પછાત વર્ગોના મુદ્દાઓ ઉઠાવવાની અપેક્ષા રાખનારા નેતાઓમાં ભારત આદિવાસી પાર્ટીના રાજકુમાર રોત, આઝાદ સમાજ પાર્ટીના ચંદ્રશેખર આઝાદ, ઝારખંડ મુક્તિ મોરચાના કાલીચરણ મુંડા, કોંગ્રેસના પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઈજામ અને એન્જિનિયર રશીદનો સમાવેશ થાય છે

(એજન્સી) તા.૧૨
એનડીએ સરકાર એવા કાર્યો માટે વાસ્તવિક પડકારોનો સામનો કરી શકે છે જેને ઘણીવાર દલિતો અને આદિવાસીઓના હિતોના વિરોધી તરીકે ઓળખવામાં આવે છે. ૧૮મી લોકસભામાં એવા ઘણા સભ્યો છે જેમણે પાયાના સ્તરે આ સમુદાયોના લોકો માટે લડતા લડતા તેમની કારકિર્દી બનાવી છે.
કાર્યકર્તાઓ અને શિક્ષણવિદો માને છે કે, વંચિત વર્ગો પાસે લાંબા સમય પછી સંસદમાં હવે થોડા સ્વરવાળા પ્રતિનિધિઓ છે.
જે નેતાઓ સામાજિક રીતે પછાત વર્ગોના મુદ્દા ઉઠાવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે, તેમાં ભારત આદિવાસી પાર્ટીના રાજકુમાર રોત, જેને કોંગ્રેસ દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો હતો, આઝાદ સમાજ પાર્ટીના ચંદ્રશેખર આઝાદ, ઝારખંડ મુક્તિ મોરચાના કાલીચરણ મુંડા, કોંગ્રેસના પ્રોફેસર અંગોમચા બિમોલ, મણિપુરથી જીતેલા અકોઈજામ, બારામુલ્લામાં ઓમર અબ્દુલ્લાને હરાવી અપક્ષ તરીકે જીતેલા એન્જિનિયર રશીદ, લદાખના અપક્ષ ઉમેદવાર મોહમ્મદ હનીફા જાન અને રાજસ્થાનના સીકરમાંથી સીપીએમ નેતા અમરા રામનો સમાવેશ થાય છે. રાજસ્થાનના વતની અને જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં હિન્દીના સહયોગી પ્રોફેસર તરીકે કામ કરી રહેલા શિક્ષણવિદ ગંગા સહાય મીનાએ જણાવ્યું હતું કે, રોટે રાજસ્થાન અને ગુજરાતના ભીલ આદિવાસીઓના સાંસ્કૃતિક અને જમીન અધિકારોને વધારવા માટે તેમની કારકિર્દી બનાવી છે. મીનાએ કહ્યું, ‘કોઈપણ પૈસા અને મસલ પાવર વગર લોકોના મુદ્દાઓ પર કામ કરીને પાયાના સ્તરેથી રોટ ઉછળ્યો છે.’ યુપીના નગીનાથી જીતેલા આઝાદ દલિત મુદ્દાઓ, ખાસ કરીને સમુદાય પરના અત્યાચારને મજબૂત રીતે ઉઠાવવા માટે જાણીતા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટા અનુસાર યુપી જાતિ આધારિત અત્યાચારના મામલામાં અગ્રણી રાજ્યોમાંનું એક છે. આઝાદે નાગરિકતા (સુધારા) કાયદા સામેના આંદોલનને સમર્થન આપ્યું હતું. હનીફા જાને લદાખને રાજ્યનો દરજ્જો આપવાની ચાલી રહેલી માંગને સમર્થન આપ્યું છે, જેની ૯૦% વસ્તી આદિવાસીઓ છે અને હાલમાં તે કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેમણે બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ પ્રદેશનો સમાવેશ કરવાની માંગને સમર્થન આપ્યું છે જે હિલ કાઉન્સિલોને વિશેષ દરજ્જો આપશે, તેમને જમીન અને કુદરતી સંસાધનોના ઉપયોગ જેવા મુદ્દાઓ પર નિર્ણય લેવાની મંજૂરી આપશે. અકોઈજામ મણિપુરમાં હિંસાને નિયંત્રિત કરવામાં કેન્દ્રની ભૂમિકાઓની ટીકા કરતા રહ્યા છે. રાજ્યમાં સાંપ્રદાયિક હિંસામાં ૨૦૦થી વધુ લોકોના મોત થયા છે. દિલ્હી યુનિવર્સિટી હેઠળની કોલેજમાં ઇતિહાસના ફેકલ્ટી સભ્ય જીતેન્દ્ર મીણાએ જણાવ્યું હતું કે, દ્ગડ્ઢછ સરકારે તેના લાભાર્થીઓને ઘટાડવા માટે ઘણી શિષ્યવૃત્તિઓ બંધ કરી છે અથવા કેટલીક યોજનાઓમાં ફેરફાર કર્યો છે. આવી યોજનાઓ મોટે ભાગે વંચિત વર્ગને મદદ કરતી હતી. તેમણે કહ્યું, ‘સરકાર આવા પગલાં લઈ શકે નહીં.’ બંધ કરાયેલી કેટલીક શિષ્યવૃત્તિઓ મૌલાના આઝાદ નેશનલ ફેલોશિપ, રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા જેમાં રાષ્ટ્રીય યોજના હેઠળ દર વર્ષે ૨૦૦૦ મેરીટોરીયસ શાળાના વિદ્યાર્થીઓને કેન્દ્રીય શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. માધ્યમિક શિક્ષણ અને કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના (દ્ભફઁરૂ) અને કન્યાઓને પ્રોત્સાહન શિષ્યવૃત્તિ યોજનાઓનો સમાવેશ થાય છે. જેના કવરેજ માટેનો અવકાશ મર્યાદિત છે, તેમાં અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિનો સમાવેશ થાય છે. છૈંસ્જીમાં ફેકલ્ટી નિમણૂકોમાં દલિતો સાથેના કથિત ભેદભાવ સામે લડતા તબીબી પ્રેક્ટિશનર ડૉ. હરજીત સિંહ ભાટીએ જણાવ્યું હતું કે, નિમણૂકોમાં ભેદભાવ, અત્યાચાર અને અનામતનો ઇન્કાર જેવી દલિતોની ચિંતા હવે સંસદમાં ગુંજશે.

Related posts
Downtrodden

પાર્લ પાસે આત્મવિલોપન કરનાર બાગપતનો વ્યક્તિ દલિત હતો અને ‘ન્યાય’ ઝંખતો હતો

(એજન્સી) બાગપત, તા.ર૮બાગપતના ૨૬ વર્ષીય…
Read more
Downtrodden

વિવિધ દલિત સંગઠનો મનુ સ્મૃતિનેસળગાવીને ૧૯૨૭ની ઘટનાની ઉજવણી કરીૃ

હુબલીના દુર્ગાડ બેલ ખાતે સમતા સેના…
Read more
Downtrodden

ટેન્શન અને ફક્ત ટેન્શન… નીતિશની સદી બાદ તેના પિતાના આંસુ છલકાયામાતા-પિતા અને બહેનને મળી નીતિશકુમાર રેડ્ડી ઇમોશનલ થયો

મેલબોર્ન, તા.૨૯નીતિશકુમાર રેડ્ડીએ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.