Downtrodden

મધ્યપ્રદેશ : લાંચ અને અનૈતિક માંગણીના આક્ષેપો વચ્ચેદલિત પરિવારની ઝૂંપડી તોડી પાડવામાં આવી

મહિલાએ દાવો કર્યો કે, રૂા. ૨ લાખની લાંચ આપવાનો ઇન્કાર કરતા તેની ઝૂંપડી તોડી પાડવામાં આવી હતી, તેણીએ આક્ષેપ કર્યો કે સરપંચ અને જિલ્લા પંચાયત સભ્યએ તેમને કાઢી મૂકવાની ધમકી આપી હતી અને જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો, સ્થાનિક સત્તાવાળાઓને આ મુદ્દાની જાણ કરવા છતાં તોડફોડ રોકવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી

(એજન્સી)
પીપલિયા સ્ટેશન
(મધ્યપ્રદેશ), તા.૨૯
મંદસૌર જિલ્લાના મલ્હારગર તહસીલના કંગટ્ટી ગામની એક દલિત મહિલાએ ગામના અધિકારીઓ પર તેની ઝૂંપડી તોડી પાડવાનો આરોપ મૂક્યો છે. તેણીએ આક્ષેપ કર્યો છે કે, રૂા. બે લાખની લાંચ આપવાનો ઇન્કાર કરવા અને અનૈતિક માગણીઓને નકારવા બદલ તેના પતિને કેદ કરવામાં આવ્યો હતો.
ફરિયાદી કરીબાઈએ જણાવ્યું કે, તે અને તેનો પતિ દશરથ બાવરી છેલ્લા ૨૦ વર્ષથી મલ્હારગઢ રોડ પર એક ઝૂંપડીમાં તેમની પાંચ પુત્રીઓ સાથે ગરીબી રેખા નીચે જીવે છે. તેણીએ આક્ષેપ કર્યો હતો કે સરપંચ અને જિલ્લા પંચાયત સભ્યએ તેમને કાઢી મૂકવાની ધમકી આપી હતી અને જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. સ્થાનિક સત્તાવાળાઓને આ મુદ્દાની જાણ કરવા છતાં, તોડફોડનો રોકવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. જો કે, સરપંચ અને જિલ્લા પંચાયત સદસ્યએ આક્ષેપોને ખોટા ગણાવીને ફગાવી દીધા હતા અને કહ્યું કે, ગ્રામજનોની ફરિયાદને કારણે આઠ મહિના અગાઉ જારી કરાયેલા ગેરકાયદેસર અતિક્રમણને દૂર કરવાના આદેશના પરિણામો તોડફોડ કરવામાં આવી હતી. તેઓ ભારપૂર્વક જણાવ્યું કે, તે સ્થળ સરસ્વતી શિશુ મંદિર માટે બનાવાયેલ છે અને દશરથ બાવરીએ બહુવિધ સરકારી મિલકતો પર કબજો કર્યું હતું.
ખેડૂત આગેવાન કાર્યવાહીની નિંદા કરે છે :- ખેડૂત નેતા શ્યામલાલ જોકચંદે સરકારની કાર્યવાહીની ટીકા કરતા જણાવ્યું હતું કે, ગરીબો અને ખેડૂતોને ટેકો આપવાના વહીવટીતંત્રના દાવા ખોટા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સત્તાવાળાઓ પ્રભાવશાળી વ્યક્તિઓ દ્વારા કરાયેલા અતિક્રમણને અવગણીને પસંદગીપૂર્વક ગરીબોને નિશાન બનાવે છે. જોકચંદે માંગ કરી હતી કે મુખ્યમંત્રી મજૂરની ઝૂંપડી તોડી પાડવા માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લે.
પતિને જેલમાં ધકેલી દીધો :- પીપલિયામંડી પોલીસ સ્ટેશનના પ્રભારી નીરજ સરવને પુષ્ટિ કરી કે, તહસીલદારની ટીમે ગુરૂવારે કબજો હટાવ્યું હતું અને ફરિયાદ મળતાં પોલીસે દશરથ બાવરીની કલમ ૧૫૧ હેઠળ ધરપકડ કરી હતી, ત્યારબાદ તેને તહેસીલ કોર્ટમાં રજૂ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. મલ્હારગઢના તહસીલદાર બ્રજેશ માલવિયાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ન હતો.

Related posts
Downtrodden

પાર્લ પાસે આત્મવિલોપન કરનાર બાગપતનો વ્યક્તિ દલિત હતો અને ‘ન્યાય’ ઝંખતો હતો

(એજન્સી) બાગપત, તા.ર૮બાગપતના ૨૬ વર્ષીય…
Read more
Downtrodden

વિવિધ દલિત સંગઠનો મનુ સ્મૃતિનેસળગાવીને ૧૯૨૭ની ઘટનાની ઉજવણી કરીૃ

હુબલીના દુર્ગાડ બેલ ખાતે સમતા સેના…
Read more
Downtrodden

ટેન્શન અને ફક્ત ટેન્શન… નીતિશની સદી બાદ તેના પિતાના આંસુ છલકાયામાતા-પિતા અને બહેનને મળી નીતિશકુમાર રેડ્ડી ઇમોશનલ થયો

મેલબોર્ન, તા.૨૯નીતિશકુમાર રેડ્ડીએ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.