Downtrodden

મિસ ઈન્ડિયાની યાદીમાં કોઈ દલિત, આદિવાસી મહિલા નથી : કેન્દ્રમાં રાહુલ ગાંધીની તાજેતરની ટિપ્પણી

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૫
નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર તાજા પ્રહારમાં લોકસભામાં વિપક્ષના નેતા, રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું કે, દલિત આદિવાસી અથવા ઓબીસી સમુદાયની કોઈ મહિલા નથી, જેણે મિસ ઈન્ડિયા બ્યુટી સ્પર્ધામાં ભાગ લીધો હોય. તેમણે કહ્યું, મેં મિસ ઈન્ડિયાનું લિસ્ટ તપાસ્યું કે, તેમાં કોઈ દલિત કે આદિવાસી મહિલા હશે કે કેમ, પરંતુ તેમાં કોઈ દલિત, આદિવાસી કે ઓબીસીની કોઈ મહિલા નહોતી. તેમ છતાં મીડિયા ડાન્સ, મ્યુઝિક, ક્રિકેટ, બૉલીવુડની વાત કરે છે પણ ખેડૂતો અને મજૂરો વિશે વાત કરતી નથી. પૂર્વ કોંગ્રેસ પ્રમુખે તેમની માંગ અને રાષ્ટ્રવ્યાપી જાતિ વસ્તી ગણતરી હાથ ધરવાના મહત્ત્વને પુનરોચ્ચાર કર્યો, કહ્યું કે, તે માત્ર વસ્તી ગણતરી નથી પરંતુ અસરકારક નીતિ ઘડતરના પાયા તરીકે સેવા આપે છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક સંવિધાન સન્માન સંમેલનને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ૯૦ ટકા વસ્તી આવશ્યક કુશળતા, પ્રતિભા અને જ્ઞાન હોવા છતાં સિસ્ટમ સાથે જોડાયેલી નથી. કોંગ્રેસના નેતાએ એ પણ રેખાંકિત કર્યું કે, જાતિની વસ્તી ગણતરી કરવા સિવાય ૯૦ ટકા વસ્તીમાં સંપત્તિનું વિતરણ કેવી રીતે કરવામાં આવી રહ્યું છે તે નોંધવું મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, ૯૦ ટકા જેટલા લોકો સિસ્ટમનો ભાગ નથી. તેમની પાસે જરૂરી કૌશલ્ય, પ્રતિભા અને જ્ઞાન છે, પરંતુ તેઓ સિસ્ટમ સાથે જોડાયેલા નથી. તેથી જ અમે જાતિની વસ્તી ગણતરીની માંગ કરી રહ્યા છીએ. ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે જાતિની વસ્તી ગણતરી પછી ઓબીસી વિભાગ આપવામાં આવશે. અમને વિવિધ સમુદાયોની યાદી જોઈએ છે. અમારા માટે, જાતિની વસ્તી ગણતરી એ માત્ર વસ્તી ગણતરી નથી, તે નીતિ ઘડતરનો પાયો છે. માત્ર જાતિની વસ્તી ગણતરી કરવી પૂરતું નથી, એ સમજવું પણ જરૂરી છે કે સંપત્તિનું વિતરણ કેવી રીતે થઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું, અધિકારી તંત્ર, ન્યાયતંત્ર અને મીડિયામાં ઓબીસી, દલિતો અને કામદારોની ભાગીદારી કેટલી છે તે શોધવું પણ જરૂરી છે. લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન, કોંગ્રેસે, તેના ઢંઢેરામાં જો પક્ષ સત્તા પર આવશે તો જાતિઓ, પેટાજાતિઓ અને તેમની સામાજિક-આર્થિક પરિસ્થિતિઓની ગણતરી કરવા માટે દેશવ્યાપી સામાજિક-આર્થિક જાતિ વસ્તીગણતરી હાથ ધરવાનું વચન આપ્યું હતું. એપ્રિલમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે, રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, જો કોંગ્રેસ કેન્દ્રમાં સરકાર બનાવે છે, તો તે દેશમાં લોકોમાં સંપત્તિના વિતરણની ખાતરી કરવા માટે નાણાંકીય અને સંસ્થાકીય સર્વેક્ષણ કરશે. રાહુલ ગાંધીના વચન આપ્યું, છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી તીવ્ર ખંડન કરવામાં આવ્યું હતું, જેમણે આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ દેશની સંપત્તિ ઘુસણખોરો અને વધુ બાળકો ધરાવતા લોકોને વહેંચશે. પીએમ મોદીના નિવેદનથી વિપક્ષોમાં ભારે હોબાળો થયો હતો.

Related posts
Downtrodden

પાર્લ પાસે આત્મવિલોપન કરનાર બાગપતનો વ્યક્તિ દલિત હતો અને ‘ન્યાય’ ઝંખતો હતો

(એજન્સી) બાગપત, તા.ર૮બાગપતના ૨૬ વર્ષીય…
Read more
Downtrodden

વિવિધ દલિત સંગઠનો મનુ સ્મૃતિનેસળગાવીને ૧૯૨૭ની ઘટનાની ઉજવણી કરીૃ

હુબલીના દુર્ગાડ બેલ ખાતે સમતા સેના…
Read more
Downtrodden

ટેન્શન અને ફક્ત ટેન્શન… નીતિશની સદી બાદ તેના પિતાના આંસુ છલકાયામાતા-પિતા અને બહેનને મળી નીતિશકુમાર રેડ્ડી ઇમોશનલ થયો

મેલબોર્ન, તા.૨૯નીતિશકુમાર રેડ્ડીએ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.