(એજન્સી) હૈદરાબાદ, તા.૨૪
પરંપરાગત રીતે, તેલંગાણાના મદિગા સમુદાયના લોકો અંતિમ સંસ્કાર અને અન્ય ગામડાના તહેવારોમાં ડપ્પુ વગાડવા છે. પરંપરાગત ડ્રમને આ સમારોહનો અભિન્ન ભાગ માનવામાં આવે છે, સામાન્ય રીતે ઉચ્ચ જાતિઓ દ્વારા તેને સ્પર્શવામાં આવતો નથી. ગ્રામીણ તેલંગાણાના અમુક ભાગોમાં હજુ પણ આ પ્રથા ચાલુ છે, ત્યારે મદિગા સમુદાયના ઘણાં લોકો હવે જૂની રીતોથી દૂર છે. સ્.ર્ષ્ઠદ્બ ડિગ્રી ધરાવનાર અને મેડચલમાં એક મોટી ખાનગી કંપનીમાં કામ કરતા પંચમી ચંદ્રમનો આરોપ છે કે, તેઓએ માત્ર અમને બહિષ્કૃત કર્યા જ નહીં પરંતુ ગામના અન્ય લોકોને અમારી સાથે સંબંધ ન રાખવાની ચેતવણી પણ આપી. તેમને ૫,૦૦૦ રૂપિયાના દંડની ધમકી આપવામાં આવી હતી. તે અને પંચમી અર્જુન, ત્નદ્ગ્ેં હૈદરાબાદમાંથી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સ્.જષ્ઠ ડિગ્રી ધરાવનાર, પંચમી શંકરૈયાના પુત્રો છે જેઓ ૨૦૧૫માં મૃત્યુ પામ્યા હતા. તે પછી, બંને ભાઈઓએ પોતાને ડપ્પુ સંસ્કૃતિથી દૂર રાખવાનું શરૂ કર્યું. પરિવારની ચારેય દીકરીઓ પરિણીત છે અને દૂર રહે છે. બહિષ્કારને યાદ કરતાં, અર્જુને કહ્યું કે, પરિવારને ૧૫ દિવસ સુધી પાણી વિના રહેવું પડ્યું જ્યારે સ્થાનિક કરિયાણાની દુકાનમાંથી તેમને રાશન ખરીદવા દેવાની ના પાડી. તેમની માતા પી નરસમ્મા પણ આનાથી બાકાત રહી ન હતી. નરસમ્માએ કહ્યું, અમારે કરિયાણા અને આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા માટે નજીકના શહેરોમાં જવું પડતું હતું. સૌથી ખરાબ વાત એ છે કે છેલ્લાં ત્રણ દાયકાથી અમે જાણતા હતા તે દરેકે અમારી સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા. પરંતુ ગામમાં તણાવ હોવા છતાં ભાઈઓ તેમની વાત પર અડગ રહ્યા. મેડચલમાં એક કંપનીમાં રસાયણશાસ્ત્રી તરીકે કામ કરતા અર્જુને કહ્યું, સમયની અછત ઉપરાંત, અમે આ વિધિથી પણ દૂર થઈ ગયા છીએ કારણ કે અમને લાગે છે કે તે ખૂબ જ જૂની પ્રથા છે અને આજે અમે જ્યારે કોર્પોરેટ જગતમાં કામ કરીએ છીએ તો આ ખૂબ તેથી આ અત્યંત અયોગ્ય છે. બંને ભાઈઓના જણાવ્યા અનુસાર, મુડીરાજ સમુદાયના બે સભ્યોના અંતિમ સંસ્કાર માટે ડપ્પુ વગાડવાની ના પાડતા તેમના અને ગામના વડીલો વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. બંનેએ દાવો કર્યો કે,તે પછી, સમુદાયના સભ્યોએ તેની ચર્ચા કરવા માટે ૧૦ સપ્ટેમ્બરે એક પંચાયત બોલાવી. જે દરમિયાન, વડીલોએ મૌખિક રીતે અમારી સાથે દુર્વ્યવહાર કર્યો. તેઓએ અમને કહ્યું, ભલે અમે ગમે તેટલા શિક્ષિત અથવા સારી નોકરી મેળવીએ, અમે હંમેશા મદિગા રહીશું અને તેમના પગની નીચે જ રહેશે. પંચાયતે તે જ દિવસે પરિવારનો બહિષ્કાર કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. આખરે, અન્યાય સહન કરવામાં અસમર્થ, ભાઈઓએ ગયા અઠવાડિયે પોલીસનો સંપર્ક કર્યો અને આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. મનોહરાબાદ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ફરિયાદને પગલે, અમે ૧૯ વ્યક્તિઓની ધરપકડ કરી છે અને હજુ પણ ૧૪ ને શોધી રહ્યા છીએ જેઓ બહિષ્કારને લાગુ કરવામાં સામેલ હતા. આ ઘટના જાતિ આધારિત ભેદભાવની દ્રઢતા દર્શાવે છે જે અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગેરકાયદેસર છે. આ કેસમાં અમારી તપાસ ચાલી રહી છે.