(એજન્સી) ચેન્નાઈ, તા.૨
SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળના કેસોની સુનાવણી માટેની વિશેષ અદાલતે સોમવારના રોજ એક દલિત વ્યક્તિની હત્યા કરવા બદલ ચાર લોકોને બેવડી આજીવન કેદની સજા ફટકારી હતી જ્યારે તેણે તેમની ગાયોનું દૂધ દોહવા માટે વેતનની માંગ કરી હતી. સૂત્રોના જણાવ્યાં અનુસાર, અલાથુર તાલુકાના થેરાનીના એસ મણિ (૫૮) ગ્રામીણો ધનાપાલ (૪૭), પ્રભુ, કુંડુ પ્રભુ (૪૪), કે.પલાનીવેલ, કુમાર (૪૮) અને પી શંકર (૩૮)ની ગાયોનું દૂધ દોહવા માટે રાખવામાં આવ્યો હતો. જ્યારે મણિ, જે એક જીઝ્ર સમુદાયનો હતો, તેણે બાકી વેતનની ચૂકવણી માટે તેમનો સંપર્ક કર્યો, ત્યારે ૨૯ મે, ૨૦૨૦ ના રોજ ગુસ્સે થયેલા ધનપાલ તેને તેના ખેતરમાં લઈ ગયો, જાતિ આધારિત અપશબ્દો સહિત અપશબ્દોનો પ્રહાર કર્યો અને પ્રભુ, કે.પલાનીવેલ અને શંકરની મદદથી તેના પર હુમલો કર્યો. સૂત્રોએ જણાવ્યું હતું, મણિની પત્ની અને તેના પુત્રએ તેને બચાવ્યો અને પેરામ્બલુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો. જ્યારે મણિને વધુ સારવાર માટે મહાત્મા ગાંધી મેમોરિયલ સરકારી હોસ્પિટલ (MGMGH))માં ખસેડવામાં આવ્યો હતો, ત્યારે તેણે તેની ઈજાઓથી દમ તોડ્યો હતો. મણિની પત્નીની ફરિયાદના આધારે, પડલુર પોલીસે SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો અને ધનપાલ, પ્રભુ, પલાનીવેલ અને શંકરની ધરપકડ કરી. ત્યારબાદ ચારેય જામીન પર બહાર આવ્યા હતા. પેરામ્બલુરની વિશેષ અદાલતમાં કેસની સુનાવણી ચાલી રહી હતી. સોમવારે સુનાવણી દરમિયાન ન્યાયાધીશ પી ઈન્દિરાનીએ ચારેય આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા અને દરેકને બેવડી આજીવન કેદની સજા સંભળાવી હતી. કોર્ટે તેમના પર કુલ ૫.૫૧ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ત્યારબાદ તેઓને સેન્ટ્રલ જેલ, તિરૂચીમાં રાખવામાં આવ્યાં હતા. કોર્ટે ચુકાદાના ભાગરૂપે તમિલનાડુ સરકારને મણિના પરિવારને ૨ લાખ રૂપિયાનું વળતર આપવાની પણ ભલામણ કરી હતી.