Downtrodden

જાતિ આધારિત શ્રમ અને મર્યાદિત ખોરાક દલિતોએ જેલની ભયાનકતાનું વર્ણન કર્યું

(એજન્સી)
મેરઠ/દેહરાદૂન, તા.૧૪
દૌલત કુંવરને ઘણી વખત જેલને હવાલે કરવામાં આવ્યો છે. એકવાર જેલના સળિયા પાછળ, દલિત કાર્યકર્તા માટે દરેક વખતે આ જ વાર્તા હતી. કુંવરે મીડિયાને આઘાતજનક ઘટસ્ફોટમાં જણાવ્યું હતું કે “જાતિ ભેદભાવ એ ક્ષણથી શરૂ થાય છે જ્યારે કેદી જેલમાં પ્રવેશ કરે છે, તે વાસ્તવિક છે અને તે ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે,” જેમણે યુપી અને ઉત્તરાખંડ જેલમાં સમય વિતાવ્યો હતો તેવા અંડરટ્રાયલ સહિત અન્ય કેદીઓએ તેમની આ વાતનો પડઘો પાડ્યો હતો,
જોકે, હવે, ભારતની જેલોમાં દલિતોને ૩ ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ આદેશ બાદ દેશભરની જેલ મેન્યુઅલમાં ઉલ્લેખિત “વસાહતી-યુગ” નિયમોની શ્રેણીને રદ્દ કરી દેવામાં આવ્યા બાદ સારી સારવારની આશા દેખાય છે જેણે “મજૂરીના જાતિ-આધારિત વિભાજનને મજબૂત બનાવ્યું હતું, ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને લક્ષ્ય બનાવીને.
કુંવરે કહ્યું, “અધિકારીઓ પહેલા કેદીની જાતિ વિશે પૂછપરછ કરે છે અને અન્ય અંગત વિગતો સાથે તેની નોંધ લે છે. ત્યારપછી કોઈની જાતિ વિશેની માહિતી આખી જેલમાં ફરતી કરવામાં આવે છે અને તેના આધારે એક કેદીને ‘કામ’ સોંપવામાં આવે છે. દલિતોને મોટાભાગે સફાઈ અને ઝાડુ મારવાનું કામ સોંપવામાં આવે છે. જો કોઈ ઇન્કાર કરે છે, તો જેલ પ્રશાસનના નિર્દેશો પર અન્ય કેદીઓ દ્વારા તેને મારવામાં આવે છે.” હાપુરના રહેવાસી ઈન્દર પાલ, ૪૩ માટે તે વધુ ખરાબ હતું. “મને ૬૭ દિવસ જેલમાં રાખવામાં આવ્યો હતો. તે મને ૬૭ વર્ષ જેવું લાગ્યું. મેં જોયું કે કેવી રીતે કેદીઓને નિમ્ન કક્ષાની મજૂરી કરવાની ફરજ પાડવામાં આવે છે જે તેઓએ તેમના જીવનમાં ક્યારેય કરી ન હતી. અમે બધા ગુનેગાર હતા. પરંતુ કેટલાક ચડિયાતા ગણાતા હતા. બે અઠવાડિયા સુધી, મને ઝાડુ મારવામાં કહેવામાં આવ્યું. જ્યારે હું બીમાર પડ્યો અને કામ કરી શકતો ન હતો, ત્યારે મને બ્રશ વગર ટોઇલેટ સાફ કરવાનું કહેવામાં આવ્યું.. મને કાપડ અથવા મારા ખુલ્લા હાથનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું હતું. અસમાનતા કામથી આગળ વધી ગઈ. ૨૩ વર્ષીય મોનુ કશ્યપે, જેણે ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ યુપીની જેલમાં સાત દિવસ વિતાવ્યા હતા, તેણે કહ્યું, “કહેવાતા નીચલી જાતિના કેદીઓ માટે ખોરાક મર્યાદિત હતો, જ્યારે અન્ય લોકો મુક્તપણે ખાતા હતા. આ ઉપરાંત ફરિયાદો ધમકીઓ અથવા મારપીટ તો ખરી જ.” ૩૮ વર્ષીય રામબહાદુરસિંહ પણ યુપી જેલમાં બંધ છે, તેમણે ઉમેર્યું હતું કે દલિત કેદીઓને વારંવાર ભોજન માટે અલગ કતાર બનાવવા માટે કહેવામાં આવતું હતું. યુપી ડીજીપી કહે છે કે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો ન્યાયની લાંબા સમયથી રાહ જોવાતી સવારનો સંકેત આપે છે. તેણે કહ્યું,તે આપણને પ્રાણીઓની જેમ બચેલો ખોરાક ખવડાવવા જેવું છે.”
તાજેતરના સર્વોચ્ચ અદાલતના ચુકાદાએ પોલીસ રેન્કમાં પણ આશાવાદ ફેલાવ્યો છે. યુપીના ડીજીપી પ્રશાંતકુમારે, જેમણે આ નિર્ણયની પ્રશંસા કરી, તેમણે મીડિયાને કહ્યુંઃ “ભારતીય જેલોમાં મજૂરીની ગરિમાને પુનઃસ્થાપિત કરવા તરફ આ એક હિંમતવાન પગલું છે. ચુકાદો ન્યાયની લાંબા સમયથી રાહ જોવાતી સવારનો સંકેત આપે છે. સદીઓથી, જાતિ અને વ્યવસાયને ખોટી રીતે જોડવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર સમુદાયોને તાબેદારી અને અપમાનપૂર્ણ જીવન જીવવા મજબૂર કરવામાં આવ્યા હતા.” યુપીના ટોચના પોલીસ અધિકારીએ ઉમેર્યું, “આર્ટિકલ ૨૧માં લંગરાયેલા આ ચુકાદા સાથે, અદાલતે જેલોમાં જાતિ-સંચાલિત મજૂરીની બેડીઓનો અંત લાવવાની હાકલ કરી છે, અને સમાનતાને પોષતા સુધારાની વિનંતી કરી છે.” કેટલાક સામાજિક કાર્યકરોએ ચુકાદાની પ્રશંસા કરી હતી. દલિત કાર્યકર્તા અને મેરઠ કોલેજના સહયોગી પ્રોફેસર સતીશ પ્રકાશે કહ્યું કે જેલ મેન્યુઅલમાં ફેરફાર એ માત્ર શરૂઆત છે. પ્રકાશે કહ્યું, “ખરો મુદ્દો માનસિકતાનો છે. જ્ઞાતિગ્રસ્ત સમાજમાં, જેલની અંદર અને બહાર બંને રીતે વર્ચસ્વ ચાલુ રહે છે. સોશિયલ એન્જિનિયરિંગ આવશ્યક છે.” કિશોરકુમાર, એડવોકેટ અને દ્ગઝ્રઇ-આધારિત દલિત કાર્યકર્તાએ ઉમેર્યું, “જેલના વોર્ડન માટે, ‘દલિત’ શબ્દ તેઓ જેને ‘વારસાગત કામ’ કહે છે તેનાથી અવિભાજ્ય છે, જેમ કે મેન્યુઅલ ગટર સફાઇ,સફાઈકામ, સાફસૂફી…’’
જો કે, કેટલાક જેલ સત્તાવાળાઓએ મીડિયા સાથે વાત કરી હતી કે તેમની જેલમાં “પૂર્વગ્રહ”ને મંજૂરી નથી. ઉત્તરાખંડના ડીઆઈજી (જેલ) દાધીરામ મૌર્યએ કહ્યું, “અમારી જેલોમાં જાતિ આધારિત કામ નથી કરાવવામાં આવતું. ગયા નવેમ્બરમાં અમારા નવા જેલ મેન્યુઅલ મુજબ તેને અટકાવવામાં આવ્યું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, બુલંદશહેરના સચિવ એવા અધિક જિલ્લા ન્યાયાધીશ શહેઝાદ અલીએ, દરમિયાન, જણાવ્યું હતું કે જીઝ્ર ચુકાદો પાલન સુનિશ્ચિત કરવા વકીલો અને કાર્યકરોના હાથ મજબૂત કરશે. અલીએ ઉમેર્યું,“અમે ફરિયાદોને સંબોધવા માટે નિયમિતપણે જેલોની મુલાકાત લીધી છે. હવે, અમે કડક પાલન સુનિશ્ચિત કરીશું અને ઉલ્લંઘનો સામે તાત્કાલિક પગલાં લઈશું.”

Related posts
Downtrodden

પાર્લ પાસે આત્મવિલોપન કરનાર બાગપતનો વ્યક્તિ દલિત હતો અને ‘ન્યાય’ ઝંખતો હતો

(એજન્સી) બાગપત, તા.ર૮બાગપતના ૨૬ વર્ષીય…
Read more
Downtrodden

વિવિધ દલિત સંગઠનો મનુ સ્મૃતિનેસળગાવીને ૧૯૨૭ની ઘટનાની ઉજવણી કરીૃ

હુબલીના દુર્ગાડ બેલ ખાતે સમતા સેના…
Read more
Downtrodden

ટેન્શન અને ફક્ત ટેન્શન… નીતિશની સદી બાદ તેના પિતાના આંસુ છલકાયામાતા-પિતા અને બહેનને મળી નીતિશકુમાર રેડ્ડી ઇમોશનલ થયો

મેલબોર્ન, તા.૨૯નીતિશકુમાર રેડ્ડીએ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.