Downtrodden

ઉત્તરપ્રદેશના બે પૂર્વ ડીજીપી હિસ્સાર ગામમાં દલિતોના સામાજિક બહિષ્કારની તપાસ કરશે

(એજન્સી) લખનૌ, તા.૨૫
સુપ્રીમ કોર્ટે હરિયાણાના હિસાર જિલ્લાના એક ગામમાં પ્રબળ સમુદાય દ્વારા દલિતોના સામાજિક બહિષ્કારના આરોપોની બે નિવૃત્ત IPS અધિકારીઓ દ્વારા સ્વતંત્ર તપાસનો આદેશ આપ્યો છે. જસ્ટિસ એમ.એમ સુંદરેશ દ્વારા ૧૬ ઓકટોબરે આદેશ આપવામાં આવ્યો હતો, અમે યુપીના બંને પૂર્વ ડીજીપી વિક્રમ ચંદ ગોયલ અને કમલેન્દ્ર પ્રસાદને વિનંતી કરીએ છીએ કે તેઓ પ્રવર્તમાન પરિસ્થિતિની સ્વતંત્ર તપાસ કરે અને આ કોર્ટ સમક્ષ સ્ટેટસ રિપોર્ટ દાખલ કરે જેથી અમે આ કેસમાં આગળ વધી શકીએ. બેન્ચે બે પૂર્વ ડીજીપીને ત્રણ મહિનાની અંદર સ્ટેટસ રિપોર્ટ ફાઈલ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જે માત્ર વર્તમાન પરિસ્થિતિ જ નહીં પરંતુ ૨૦૧૭માં દલિતોના સામાજિક બહિષ્કારના આરોપોના સંદર્ભમાં જો કોઈ પગલાં લેવાની જરૂર હોય તો તે પણ સૂચવે છે. બેન્ચે, જેમાં જસ્ટિસ અરવિંદ કુમાર પણ સામેલ હતા, કહ્યું, અમે તે સ્પષ્ટ કરીએ છીએ કે પેન્ડિંગ ટ્રાયલ આગળ વધવા પર કોઈ અવરોધ નથી. બેન્ચને જાણ કરવામાં આવી હતી કે તાજેતરના સમયમાં કોઈ અપ્રિય ઘટના બની નથી અને સામાન્યતા પ્રવર્તી રહી છે. એ હકીકતની પણ જાણ કરવામાં આવી હતી કે ૨૦ ઓગસ્ટ, ૨૧૦૭ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ ધરપકડ કરવામાં આવી ન હતી. હરિયાણા પોલીસે સાતમાંથી છ આરોપીઓને ક્લીનચીટ આપી હતી અને ચાર્જશીટમાં તેમના નામ નથી. જૂન ૨૦૧૭માં, હિસાર ગામમાં હેન્ડપંપના ઉપયોગને લઈને દલિત છોકરાઓના જૂથ પર પ્રભાવી સમુદાયના સભ્યો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ છ લોકો ઘાયલ થયા અને હોસ્પિટલમાં દાખલ થયા પછી એફઆઈઆર દાખલ કરવામાં આવી. સુપ્રીમ કોર્ટને કહેવામાં આવ્યું હતું કે, દલિતો પ્રત્યે દુશ્મનાવટ ધરાવતા પ્રભાવશાળી સમુદાયના સભ્યોને ફરિયાદ પક્ષના સાક્ષી બનાવવામાં આવ્યા હતા અને સામાજિક બહિષ્કારની ૨૮ ફરિયાદો/પીડિતોનું એક પણ અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર પોલીસ દ્વારા લેવામાં આવ્યું ન હતું અને ચાર્જશીટ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. ઉપરાંત પીડિતો દ્વારા જાહેર સભામાં ઉચ્ચ સમુદાય દ્વારા આપવામાં આવેલ સામાજિક બહિષ્કારની હાકલનો પોલીસને આપવામાં આવેલા વીડિયોનો ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો અથવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ન હતો અને IPC ની કલમ ૧૫૩અ અને ૫૦૫ હેઠળ કાર્યવાહી કરવાની મંજૂરી વિલંબથી લેવામાં આવી હતી. ફરિયાદીઓ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યા પછી જ સુપ્રીમ કોર્ટને કહેવામાં આવ્યું હતું.

Related posts
Downtrodden

પાર્લ પાસે આત્મવિલોપન કરનાર બાગપતનો વ્યક્તિ દલિત હતો અને ‘ન્યાય’ ઝંખતો હતો

(એજન્સી) બાગપત, તા.ર૮બાગપતના ૨૬ વર્ષીય…
Read more
Downtrodden

વિવિધ દલિત સંગઠનો મનુ સ્મૃતિનેસળગાવીને ૧૯૨૭ની ઘટનાની ઉજવણી કરીૃ

હુબલીના દુર્ગાડ બેલ ખાતે સમતા સેના…
Read more
Downtrodden

ટેન્શન અને ફક્ત ટેન્શન… નીતિશની સદી બાદ તેના પિતાના આંસુ છલકાયામાતા-પિતા અને બહેનને મળી નીતિશકુમાર રેડ્ડી ઇમોશનલ થયો

મેલબોર્ન, તા.૨૯નીતિશકુમાર રેડ્ડીએ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.