અનાજ વેડફો નહીં, દુષ્કાળના વર્ષો માટે તેને સાચવી રાખો. (હદીસ બોધ)
બોધ વચન
કાર્ય એ રીતે કરો કે જેથી નિષ્ફળતા શક્ય બની જાય. – દોરોથિયા બ્રાન્ડ
આજની આરસી
૨૭ ઓક્ટોબર રવિવાર ર૦૨૪
૨૩ રબીઉલ આખર હિજરી ૧૪૪૬
આસો વદ અગિયારસ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૨૨
ખત્મે ઝવાલ ૧૨-૨૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૪૨
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૦૫
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
ઝપટના, પલટના, પલટકર ઝપટના
લહૂ ગરમ રખનેકા હૈ એક બહાના
શાહીન ફુરસદના સમયે આકાશમાં ઊંચેથી ડાઈવ મારવી, પલટવું, ફરી ઉંચે જવું જેવા કરતબ કરીને શરીરને ચુસ્ત રાખે છે. જેથી સફળતાથી શિકાર કરી શકાય, ઊંચી ઉંડાન કરી શકાય. કવિ યુવાનોને કહે છે કે એશોઆરામ ના કરો, ખંત અને ઉત્સાહથી સખત મહેનત કરો જેથી ધ્યેય પ્રાપ્ત કરી શકાય. (ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)