જે માણસ બે વચ્ચે સુલેહ કરાવવા માટે પોતાના તરફથી કોઈ વાત ઉમેરીને કહે તો તે જૂઠો નથી.(હદીસ બોધ)
બોધ વચન
સદ્વિચાર સઘળા ઘાવને રૂઝવી દેવાનું કામ કરે છે. -વિલિયમ જેમ્સ
આજની આરસી
૨ નવેમ્બર શનિવાર ર૦૨૪
૨૯ રબીઉલ આખર હિજરી ૧૪૪૬ કારતક સુદ એકમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૨૪
ખત્મે ઝવાલ ૧૨-૨૩
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૪૫
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૦૧
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
હમ તો માઈ’લ બ-કરમ હૈં, કોઈ સાઈ’લ હી નહીં, રાહ દીખલાએં કીસે, રહ-રવ-એ-મંઝિલ હી નહીં
અલ્લાહ કહે છે કે હું તો પરમ કૃપાળુ (માઈ’લ બ-કરમ) છું, મહેરબાની કરવાવાળો છું, જો કોઈ દુઆગીર (સાઈ’લ) હોય તો મારો કરમ વરસાવું છું, હું કોનો માર્ગદર્શક બનું, કોઈપણ મુસાફર એટલે કે ધ્યેય ધારક નથી. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)