વ્યાપારમાં અપ્રામાણિકતા અને જૂઠને સ્થાન ન આપવું સૌથી સારી કમાણી છે. (હદીસ બોધ)
બોધ વચન
આપણા સુખનું બીજાનામાં આરોપણ એટલે પ્રેમ. -બર્નાર્ડ શૉ
આજની આરસી
૧૭ નવેમ્બર રવિવાર ર૦૨૪
૧૪ જમાદિલ અવ્વલ હિજરી ૧૪૪૬ કારતક વદ બીજ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૩૨
ખત્મે ઝવાલ ૧૨-૨૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૫૪
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૫
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
મત કિયા કર ઈતને ગુનાહ તૌબાકી આસમેં અય ઈન્સાન
બે-એતબાર સી મૌત હૈ, ન જાને કબ આ જાએ
કવિ સલાહ આપે છે કે હે માનવી તોબા કરી લઈશ તો અલ્લાહ મારા ગુના માફ કરી દેશે તે આશામાં તું ગુના કર્યે જાય છે પણ મોતનો કોઈ ભરોસો નથી, તારી તોબા બાકી હશે અને તને લઈ જશે, તો તારે ગુનાઓની સજા ભોગવવી પડશે. જેથી પશ્ચાતાપ કરવાનો વારો જ ન આવે તે માટે ગુના કરવાનું જ છોડી દે. નેકી કર અને સારા આમલ કર.
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)