માનવીના સદ્ગુણોમાં ધીરજ એ સૌથી મહાન સદ્ગુણ છે.
હદીસ બોધ
બોધ વચન
ગુસ્સાથી વાતની શરૂઆત કરશો તો શરમ સાથે તે સમાપ્ત કરવી પડશે. – ફ્રેંકલિન
આજની આરસી
૧૯ નવેમ્બર મંગળવાર ર૦૨૪
૧૬ જમાદિલ અવ્વલ હિજરી ૧૪૪૬ કારતક વદ ચોથ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૩૩
ખત્મે ઝવાલ ૧૨-૨પ
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૫પ
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૪
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
કભી દરિયા સે મિસ્લ-એ-મૌજ ઉભર કર,
કભી દરિયા કે સીને મેં ઉતર કર,
કભી દરિયા કે સાહિલસે ગુજર કર,
મકામ અપની ખુદીકા ફાશ તર કર
તારી ‘ખુદી’, અંતરાત્મા, તારા સ્વ, હું પણાને ચમકદાર બનાવવા, ઉચ્ચ કક્ષાએ લઈ જવા – જીવનરૂપી સાગરની લહેરો પર સવાર થા, જીવન સાગરના ઉંડાણમાં ઉતરીને આત્મમંથન કર, દૂર ઊભા રહીને જીવનના રંગરૂપ નિહાળીને તારી જાતને નિખાર, તેના જ થકી તારું જીવન સાર્થક કરી શકીશ. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)