Downtrodden

“હિંદુ ધર્મમાં કોઈ દલિત નથી, દરેકને પૂજારી બનવાનો અધિકારહોવો જોઈએ”: બાગેશ્વર બાબાનું આચાર્યોને આહ્‌વાન

(એજન્સી) તા.૨૧
બાગેશ્વર બાબાના નામથી પ્રખ્યાત ધીરેન્દ્ર શાસ્ત્રીએ તાજેતરમાં એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે દલિતો અને આદિવાસી સમુદાયના લોકોને હિંદુ મંદિરોમાં પૂજારી તરીકે સ્થાન આપવાની હિમાયત કરી હતી. તેમનું કહેવું છે કે સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવા અને ધર્મની એકતાને સાકાર કરવા માટે આ પગલું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
દલિતો અને આદિવાસીઓને પૂજારી બનાવવાની અપીલ
બાગેશ્વર બાબાએ તમામ શંકરાચાર્યો અને આચાર્યોને મંદિરોમાં દલિત અને નીચલી જાતિના પૂજારી બનાવવાની વ્યવસ્થા શરૂ કરવા માટે આહ્‌વાન કર્યું છે. તેમનું માનવું છે કે, હિંદુ ધર્મમાં કોઈ પણ જાતિ કે વર્ગના લોકો પછાત નથી અને જો દેશના તમામ લોકો હિંદુ છે તો દરેકને પૂજારી બનવાનો અધિકાર મળવો જોઈએ.
હિંદુ ધર્મમાં દરેકને સમાન અધિકાર છે
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, “અમે એ નથી કહી રહ્યા કે કોણ પૂજારી બનવું જોઈએ, બલ્કે અમે કહી રહ્યા છીએ કે આ દેશમાં ન તો દલિત છે, ન પછાત છે, ન તો બહારના લોકો છે. દરેક વ્યક્તિ પૂજારી બની શકે છે. જ્યારે આપણે હિંદુ ધર્મને દરેક માટે સમાન ગણીએ છીએ, તો પછી દલિત કોણ બાકી, કોણ પછાત રહ્યું ? તેમનું માનવું છે કે જો દરેક હિન્દુ છે તો દરેકને મંદિરોમાં પૂજારી બનવાનો અધિકાર મળવો જોઈએ.
સમાજમાં સંવાદિતાની જરૂર છે
બાગેશ્વર બાબાએ કહ્યું કે, તેઓ શંકરાચાર્ય અને આચાર્યોને પ્રાર્થના કરે છે કે તેઓ આ વ્યવસ્થા પર વિચાર કરે અને તેને લાગુ કરવાની દિશામાં પગલાં ભરે. તેમનો ઉદ્દેશ્ય સમાજમાં સમાનતા અને સંવાદિતાને પ્રોત્સાહન આપવાનો છે. તે ઈચ્છે છે કે કોઈપણ જાતિ, વર્ગ કે ધર્મની વ્યક્તિને મંદિરોમાં પૂજા કરવાનો અધિકાર મળવો જોઈએ, જેથી સમાજમાં ભેદભાવ ખતમ થઈ શકે.
ધર્મની એકતા તરફ પગલું
બાગેશ્વર બાબાએ પણ પુનરોચ્ચાર કર્યો હતો કે જ્યારે દરેક હિંદુ છે, તો મંદિરોમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ ન થવો જોઈએ. આ પગલું માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી જ મહત્ત્વપૂર્ણ નથી, પરંતુ તેનાથી સમાજમાં સમાનતા અને ભાઈચારાને પણ પ્રોત્સાહન મળશે. ધીરેન્દ્ર શાસ્ત્રીનું આ નિવેદન સમાજમાં એક નવી દિશા તરફ ઈશારો કરે છે. તેમણે હિંદુ ધર્મમાં તમામ જાતિ અને વર્ગના લોકોને સમાન અધિકાર આપવાની વાત કરી છે અને ધર્મના માર્ગે ચાલતી વખતે કોઈપણ પ્રકારનો ભેદભાવ ન કરવો જોઈએ તેવો સંદેશ આપ્યો છે.

Related posts
Downtrodden

પાર્લ પાસે આત્મવિલોપન કરનાર બાગપતનો વ્યક્તિ દલિત હતો અને ‘ન્યાય’ ઝંખતો હતો

(એજન્સી) બાગપત, તા.ર૮બાગપતના ૨૬ વર્ષીય…
Read more
Downtrodden

વિવિધ દલિત સંગઠનો મનુ સ્મૃતિનેસળગાવીને ૧૯૨૭ની ઘટનાની ઉજવણી કરીૃ

હુબલીના દુર્ગાડ બેલ ખાતે સમતા સેના…
Read more
Downtrodden

ટેન્શન અને ફક્ત ટેન્શન… નીતિશની સદી બાદ તેના પિતાના આંસુ છલકાયામાતા-પિતા અને બહેનને મળી નીતિશકુમાર રેડ્ડી ઇમોશનલ થયો

મેલબોર્ન, તા.૨૯નીતિશકુમાર રેડ્ડીએ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.