Downtrodden

ઉત્તરપ્રદેશના જૌનપુરમાં દલિતોના ધર્મ પરિવર્તન કેસમાં ૮ લોકોની ધરપકડ

(એજન્સી) જૌનપુર, તા.રર
ઉત્તરપ્રદેશના જૌનપુર જિલ્લામાં મડિયાહુના સદર ગંજ પશ્ચિમ વિસ્તારમાં વિનોદ શિલ્પકરના ઘરમાં ધર્મ પરિવર્તનની માહિતી મળતાં પોલીસ હરકતમાં આવી ગઈ હતી. પોલીસે બજરંગ દળના કાર્યકરોની ફરિયાદ પર ઘર પર દરોડો પાડ્યો હતો અને કથિત ધર્મ પરિવર્તનમાં સામેલ ગેંગના ૮ સભ્યોની ધરપકડ કરી હતી. બજરંગ દળના બ્લોક કન્વીનર અભય શર્માએ મડિયાહુન કોતવાલી વિસ્તારના સદર ગંજ પશ્ચિમ વિસ્તારમાં ધર્મ પરિવર્તન અંગે પોલીસને ફરિયાદ કરી હતી. આ પછી, એસએચઓ તેમના દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને ચુનાર પોલીસ સ્ટેશન વિસ્તારના નુવાન (ચિલેહિયા) નિવાસી વકીલ સિંહના પુત્ર સંદીપ સિંહ સહિત આઠ લોકોની ધરપકડ કરી. પોલીસને સ્થળ પરથી ધાર્મિક પુસ્તકો, દવાઓ અને પ્રતીકો પણ મળી આવ્યા છે. ધરપકડો વિશે, પોલીસે કહ્યું કે વિનોદ શિલ્પકરના ઘરે ઘણા લોકોને અન્ય ધર્મમાં ફેરવવા માટે લાલચ આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. એસપી ગ્રામીણ ડૉ. શૈલેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું કે પોલીસને હિંદુ સંગઠનો તરફથી માહિતી મળી હતી કે સદર પશ્ચિમ ગામમાં કેટલાક લોકો દલિત લોકોને લાલચ આપીને તેમનું ધર્માંતરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ૮ લોકોની ધરપકડ કરી હતી, તેમણે કહ્યું અને ઉમેર્યું કે આ સાથે પોલીસે સ્થળ પરથી ધાર્મિક પુસ્તકો અને અન્ય વસ્તુઓ મળી આવી છે. આ દરમિયાન હિન્દુ સંગઠનોએ કહ્યું કે જે લોકો તેમના ધર્મના છે અને દલિત પરિવારોના છે તે લોકોને ધર્મ પરિવર્તન માટે લલચાવવામાં આવી રહ્યા છે.

Related posts
Downtrodden

પાર્લ પાસે આત્મવિલોપન કરનાર બાગપતનો વ્યક્તિ દલિત હતો અને ‘ન્યાય’ ઝંખતો હતો

(એજન્સી) બાગપત, તા.ર૮બાગપતના ૨૬ વર્ષીય…
Read more
Downtrodden

વિવિધ દલિત સંગઠનો મનુ સ્મૃતિનેસળગાવીને ૧૯૨૭ની ઘટનાની ઉજવણી કરીૃ

હુબલીના દુર્ગાડ બેલ ખાતે સમતા સેના…
Read more
Downtrodden

ટેન્શન અને ફક્ત ટેન્શન… નીતિશની સદી બાદ તેના પિતાના આંસુ છલકાયામાતા-પિતા અને બહેનને મળી નીતિશકુમાર રેડ્ડી ઇમોશનલ થયો

મેલબોર્ન, તા.૨૯નીતિશકુમાર રેડ્ડીએ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.