SIKH STRUGGLE

૧૯૮૪ અંગેના કેસોમાં છ મહિના માટેરચાયેલી એસઆઈટીને એક વર્ષનો વિસ્તાર

નવી દિલ્હી, તા.૧૩
કેન્દ્ર સરકારે ૧૯૮૪ના શિખ રમખાણોની નવેસરથી તપાસ કરી રહેલી એસઆઈટીની મુદતમાં ૧ વર્ષનો વધારો કર્યો છે. એસઆઈટીનું ગઠન ફેબ્રુઆરી ર૦૧રમાં ૬ મહિના માટે કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના પૂર્વ નિવૃત્ત જજ જી.પી. માથુરની અધ્યક્ષતામાં કમીટીની ભલામણોના આધારે નવેસરથી તપાસ કામગીરી સોંપાઈ હતી. એસઆઈટીએ જો કે પ્રાથમિક રિપોર્ટ ગૃહ મંત્રાલયને સુપરત કર્યા છે. એસઆઈટી રમખાણોના મહત્વપૂર્ણ કેસોની ફેર તપાસ કરી રહી છે. જેમાં દિલ્હી પોલીસ સ્ટેશન અને બીજા રાજ્યોની પોલીસ સ્ટેશનોમાં પણ તપાસ કરી રહી છે. જ્યાં તોફાનો ફાટી નીકળ્યા હતા. એસઆઈટી એસ.ડી. જૈન અને ડી.કે. અગ્રવાલ કમિટીઓ દ્વારા અપાયેલા રિપોર્ટની પણ તપાસ કરી રહી છે. ગૃહ મંત્રાલયે એસઆઈટીને જણાવ્યું છે કે તપાસ પછી યોગ્ય જણાય એ રીતે ચાર્જશીટો દાખલ કરવામાં આવે.

Related posts
SIKH STRUGGLE

શીખોની જીંદગી અને પોલીસ જંગાલિયતના સંદર્ભમાં૧૯૮૪ બાદ ભાગ્યે જ કોઇ પરિવર્તન આવ્યું છે

શાંતિપૂર્ણ દેખાવો કરી રહેલા શીખ…
Read more
SIKH STRUGGLE

૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોમાં સીબીઆઈએ ટાઈટલરને આપેલ ક્લીનચીટ દુર્ભાગ્યપૂર્ણ : ફુલ્કા

નારાજગી વ્યક્ત કરતાં એડવોકેટ ફુલ્કાએ…
Read more
SIKH STRUGGLE

૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો : ટાઇટલરને ક્લિનચીટ આપવા સામે અદાલતની સીબીઆઇને નોટિસ

સીબીઆઇના ક્લોઝર રિપોર્ટ સામે…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.