Religion

હદીસ બોધ

માત્ર અનુમાન ઉપર વિશ્વાસ રાખી કોઈ બાબતનો ચોક્કસ ચુકાદો કરવો એ ન્યાય નથી. (હદીસ બોધ)

બોધ વચન

કંઈ પણ સારૂં કરવા જેવું હોય તો તે સારી રીતે કરવું. – ચેસ્ટર ફિલ્ડ

આજની આરસી

૧૪ ડિસેમ્બર શનિવાર ર૦૨૪
૧૧ જમાદિલ આખર હિજરી ૧૪૪૬ માગશર સુદ ચૌદસ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૪૭
ખત્મે ઝવાલ ૧૨-૩૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૧૨
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૬

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ

નિગાહ બુલંદ, સુખન દિલનવાઝ, જાન પુર સોઝ,
યહ હૈ રખ્ત-એ-સફર મીર-એ-કારવાં કે લીએ
કાફલા(કારવાં)નું નેતૃત્વ કરનારની સફરનું ભાથું (રખ્ત એ સફર)- દીર્ઘ વીઝન-દુરંદેશીપણું, માયાળુ દિલ, જુસ્સાદાર વાણી અને દૃઢ મનોબળ છે. આ લીડરશીપના ગુણો છે. હાલ દુરાચારી, વાણીમાં ઝેર ઓકતા, ભ્રષ્ટ, કાયર નેતાઓથી અલ્લાહ દેશને બચાવે.
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)