(એજન્સી) ગડવાલ, તા.૧૩
આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસના ભાગ રૂપે, આઈઝા મંડલ સેન્ટરની બુડાગાજંગલા કોલોનીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૫ મજૂરોએ ભાગ લીધો હતો. સભાને સંબોધતા, જી નરસિમ્હુલુએ ડિસેમ્બર ૧૦, ૧૯૪૮ના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા અપનાવી હતી. ‘આ અધિકારો હોવા છતાં,’ તેમણે નિર્દેશ કર્યો, ‘દલિતો, મહિલાઓ અને આદિવાસી સમુદાયો પર અત્યાચાર ચાલુ છે. તેમણે કહ્યું,જ્ઞાતિ ભેદભાવ, મહિલાઓનું અત્યાચાર, છોકરીઓ અને મહિલાઓનું અપહરણ, દલિતો પર હુમલા, જાતીય હિંસા અને હત્યા જેવા મુદ્દાઓ પ્રચલિત છે,’. સહભાગીઓએ જિલ્લા કલેક્ટર અને તહસીલદાર સહિત સરકારી અધિકારીઓને માગણીઓની યાદી મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની રજૂઆત કરી હતી. આમાં પુરૂષો અને સ્ત્રીઓ બંને માટે ૮૫૦ રૂપિયાના લઘુત્તમ વેતન ; ભૂમિહીન ગરીબ પરિવારોને જમીનની જોગવાઈ; વિસ્થાપન માટે વળતર; એકલ મહિલાઓ સહિત ૫૫ અને તેથી વધુ વયની ગ્રામીણ મહિલાઓ માટે દર મહિને રૂા. ૫,૦૦૦ પેન્શન; સહાયિત આવશ્યક વસ્તુઓ; પ્રસૂતિ લાભો; અને જીઝ્ર/જી્ અત્યાચાર નિવારણ અધિનિયમોનો કડક અમલનો સમાવેશ થાય છે.