National

ખેડૂતોનાં કપડાં ઉતરાવી ઢસડીને માર મારવાનો મધ્યપ્રદેશ પોલીસ પર આરોપ

ભોપાલ, તા. ૪
ભાજપ શાસિત મધ્યપ્રદેશના ટિકમગઢ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગને લઇ ખેડૂતો પ્રદર્શનકરી રહ્યા હતા જોકે, આ દરમિયાન ખેડૂતોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. ખેડૂતોને પોલીસ સ્ટેશનમાં લાવી તેમના કપડાં ઉતારી માર મારવામાં આવ્યો છે. ખેડૂતો કોંગ્રેસના નેતાઓ સાથે મળીને કલેક્ટરને આવેદનપત્ર સોંપવાની માગ કરી રહ્યા હતા. પોલીસે તેમને ત્યાંથી ખસેડવા માટે લાઠીચાર્જ સાથે ટીયરગેસના શેલ પણ છોડ્યા હતા. આ દરમિયાન મધ્યપ્રદેશ સરકારે આ અંગે તપાસના આદેશ આપ્યા છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેઓ પ્રદર્શન કરીને તેમના ગામ દુનાતર પરત ફરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને રોકી લીધા હતા અને પકડીને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા તથા કપડાં ઉતારીને નિર્દયી રીતે માર માર્યો હતો. સ્થાનિક અહેવાલો અનુસાર યુવા કોંગ્રેસના ખેત બચાવો-કિસાન બચાવો અભિયાન અંતર્ગત હજારોની સંખ્યામાં ખેડૂતો ટીકમગઢ જિલ્લાને દુકાળગ્રસ્ત કરવાની માગ કરી રહ્યા હતા. યુવા કોંગ્રેસના રાજ્ય પ્રમુખ કુણાલ ચૌધરીએ જણાવ્યું હતું કે, કલેક્ટરે અમારામાંથીત્રણ લોકોને ઓફિસમાં આવવાની પરવાનગી આપતા આદેવન આપવા માટે કહ્યું હતું અને તેથી અમે કલેક્ટર ઓફિસ પહોંચીને તેમને ટીકમગઢને દુકાળગ્રસ્ત જાહેર કરવા મામલે આવેદન સોંપવા માગતા હતા. પરંતુ જ્યારે અમે ત્યાં જઇ રહ્યા હતા ત્યારે પોલીસે બેરીકેડ લગાવી અમારો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કુણાલ અને ખેડૂતો ત્યાં જ ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા હતા અને કલેક્ટરને આગ્રહ કરવા લાગ્યા કે, તેઓ બહાર આવીને આવેદન સ્વીકાર કરી લે. આ દરમિયાન પોલીસે આવીને ખેડૂતો પર લાઠીચાર્જ શરૂ કરી દીધો હતો અને ટીયરગેસના શેલ છોડ્યા હતા. એટલું જ નહીં ખેડૂતોને કલેક્ટર ઓફિસ નજીકથી ખસેડવા માટે તેમણે પાણીનો મારો પણ ચલાવ્યો હતો. ત્યારબાદ પોલીસે ખેડૂતોને પકડીને પોલીસ સ્ટેશન લઇ જઇ તેમના કપડાં ઉતારીને ઢોર માર માર્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.