National

FIR વિરૂદ્ધ તિસ્તા સેતલવાડે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી, કોર્ટે સરકારને જવાબ રજૂ કરવા જણાવ્યું

અમદાવાદ, તા.૧૧
સામાજિક ચળવળકારી તિસ્તા સેતલવાડે ગુજરાત હાઈકોર્ટમાં એમની સામે દાખલ થયેલ એફઆઈઆર રદ કરાવવા અરજી દાખલ કરી છે. એમની ઉપર આક્ષેપો મૂકાયા છે કે, એમણે ડિસેમ્બર ર૦૦પમાં પંચમહાલ જિલ્લાના પાંઢરવાડાની ઘટનાના ર૦૦રના પીડિત મૃતદેહોને ખોદકામ કરાવી બહાર કઢાવ્યો હતો. સુપ્રીમકોર્ટે એમને સલાહ આપી કે એ આના માટે ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ ૪૮ર હેઠળ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરે. તિસ્તાએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ છે અને એમની સામે કોઈ કેસ બનતો નથી. સરકારી વકીલે સમયની માગણી કરાતા બેંચના જજ એ.જે.દેસાઈએ ફરિયાદી અને સરકારને નોટિસો મોકલાવી જવાબ રજૂ કરવા જણાવ્યું છે. સેતલવાડ વિરૂદ્ધ આક્ષેપો છે કે, એમણે ધાર્મિક લાગણીઓ દુભાવી છે. બનાવટી પુરાવાઓ ઊભા કર્યા છે. કબરના સ્થળ ઉપર ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યું છે. તિસ્તાએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, ધાર્મિક લાગણીઓ દુભાવવાનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે, મુસ્લિમ કોમની એક પણ વ્યક્તિએ ફરિયાદ કરી નથી કે એમની લાગણીઓ દુભાઈ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.