National

પેટ્રોલ પંપ ડીલરોની ૧૩મી ઓક્ટોબરની હડતાળ સ્થગિત

નવી દિલ્હી, તા. ૧૧
પેટ્રોલપંપ ડીલરોએ ૧૩મી ઓક્ટોબરના રોજ શુક્રવારે પ્રસ્તાવિત રાષ્ટ્રવ્યાપી હડતાળને સ્થગિત રાખી છે તેવા અહેવાલો મળ્યા છે. આ હડતાળ પેટ્રોલિયમ પેદાશોના પુરવઠા અને માગને જીએસટી હેઠળ લાવવાના વિરોધમાં દેખાવો કરવા જાહેર કરાઇ હતી. આ હડતાળ તમામ પેટ્રોલ ડીલરોના દેશવ્યાપી ત્રણ મોટા સંગઠનોને છત્રછાયા પુરી પાડતા યુનાઇટેડ પેટ્રોલિયમ ફ્રંટ દ્વારા બોલાવાઇ હતી જે અંતર્ગત દેશના ૫૪,૦૦૦ પેટ્રોલપંપ આવે છે. પેટ્રોલપંપ માલિકો દ્વારા આ હડતાળ ઓઇલ માર્કેટ દ્વારા સખત વલણ અખત્યાર કરાયા બાદ હડતાળ પરત ખેંચાઇ હતી. મીડિયાને સંબોધતા રાજ્યોમાં ચાલતા આઇઓસી, બીપીસીએલ અને એચપીસીએલના માર્કેટિંગ ડાયરેક્ટરોએ દરેક બાબતે ડીલરોનાઆરોપોેને ફગાવતા જણાવ્યું હતું કે, છેલ્લા ત્રમ મહિનાથી તેમના કમિશનમાં ત્રણ ગણાનો વધારો થયો છે છેલ્લે પહેલી ઓગસ્ટે વધારો કરાયો હતો. તેમને પેટ્રોલ પર દર લિટરે ૩.૫૦ રૂપિયા અને ડીઝલ પર લિટરે ૨.૧૦ રૂપિયાનું કમિશન મળે છે જ્યારે પ્રતિ રાંધણગેસ સિલિન્ડરે રૂપિયા ૪૫ મળે છે. ઇન્ડિયન ઓઇલ માર્કેટિંગ ડાયરેક્ટર બીએસ કાંતે જણાવ્યંુ કે, ડીલરોનું કમિશન નવેમ્બર ૨૦૧૬ અને માર્ચ ૨૦૧૭માં પણ વધારવામાં આવ્યું હતું. તેમની હાલની માગો વિના કારણની છે અને તેમની માગો પુરી થઇ ગઇ છે અને મુદ્દાઓ ઉકેલાઇ ગયા છે. હડતાળ પાડવાનો આ કોઇ યોગ્ય માર્ગ નથી. જો તેઓ નવી શિષ્તના દિશા નિર્દેશ ઇચ્છે અને નવા દંડનો સામનો કરવા તૈયાર હોય તો તેઓ આમ કરી શકે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.