International

ધરપકડ બાદ ર૧ર અને જેરૂસલેમ વિપ્લવમાં ૬ પેલેસ્ટીનીઓનાં મોત

(એજન્સી) ગાઝા, તા.૧ર
પેલેસ્ટીની પ્રિઝનર્સ અફેર્સ ઓથોરિટીના અભ્યાસ અને દસ્તાવેજીકરણ વિભાગના વડા અબ્દુલ નાસર ફરવાનાએ જણાવ્યું કે, ૧૯૬૭થી ઈઝરાયેલી જેલમાં ર૧ર પેલેસ્ટીની કેદીઓનાં મોત નિપજ્યા છે તેમાં ૧ ઓક્ટોબર ર૦૧પના રોજ ફાટી નીકળેલા જેરૂસલેમ વિપ્લવના ૬ શહીદોનો પણ સમાવેશ થાય છે.
તબીબી બેદરકારીને કારણે મૃત્યુ પામેલા કેદી ફદી અલ-દેરબીની શહીદીની બીજી પુણ્યતિથિએ ફરવાનાએ જણાવ્યું કે, અત્યાચારના લીધે ૭૧ કેદીઓના અને તબીબી બેદરકારીના કારણે પ૯ના કેદીઓનાં મોત થયા આ ઉપરાંત જેલની અંદર ઈઝરાયેલી ગોળીબારમાં હત્યા થઈ હોય તેવા ૭ કેસો છે તથા અન્ય ૭૪ને કેદ કરવામાં આવ્યા હતા.
તેમણે જણાવ્યું કે, અત્યાચાર અને તબીબી બેદરકારીના કારણે ઈઝરાયેલી જેલમાંથી મુક્ત થવાના થોડા સમયમાં જ અનેક પૂર્વ કેદીઓનાં મોત નિપજ્યા હતા. આ હત્યાઓ માટે ફરવાનાએ સંપૂર્ણ રીતે ઈઝરાયેલી કબજા હેઠળના સત્તાધીશોને જવાબદાર ઠેરવ્યા હતા અને ઈઝરાયેલી જેલમાં કેદ હજારો પેલેસ્ટીની કેદીઓની રક્ષા માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને અપીલ કરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
International

બ્રિટનના પત્રકાર સંઘે ગાઝા પર ઇઝરાયેલના હવાઈહુમલામાં પાંચ પત્રકારોની હત્યાની ટીકા કરી

(એજન્સી) તા.૨૮બ્રિટિશ નેશનલ યુનિયન ઓફ…
Read more
International

અરબ લીગે અલ-અક્સા મસ્જિદ પરઇઝરાયેલના મંત્રીની ઘૂસણખોરીની નિંદા કરી

(એજન્સી) કૈરો, તા.૨૮અરબ લીગ (AL)ના…
Read more
International

બશર અસદના સંબંધીઓએ લેબેનોનથી બહાર જવાનો પ્રયાસ કરતાં ધરપકડ કરવામાં આવી

(એજન્સી) તા.૨૮સીરિયન રાષ્ટ્રપતિ બશર…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.