National

જ્યાં તલવાર દંપતીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં તે કોર્ટ રૂમમાં શું બન્યું ?

(એજન્સી)
અલ્હાબાદ, તા. ૧૨
આરૂષી-હેમરાજ ડબલ મર્ડર કેસમાં જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટના કોર્ટરૂમમાં ચુકાદો વાંચી સંભળાવવામાં આવ્યો ત્યારે કોર્ટ રૂમ ૩૦૦ લોકોથી ખીચોખીચ ભરાયેલો હતો. ૨.૪૦ ની આસપાસ અલ્હાબાદ હાઈકોર્ટના જજ આવ્યાં અને તેમણે ૧૦ મિનિટ કરતાં પણ ઓછા સમયમાં ચુકાદો વાંચી સંભળાવ્યો હતો. ચુકાદો જાહેર કરવામાં આવ્યો ત્યારે તલવાર દંપતિ જેલમાં હતા. ચુકાદો જાહેર કરનાર જજે આજે કહ્યું કે તલવાર દંપતિને સંદેહનો લાભ આપીને નિર્દોષ જાહેર કરવામાં આવે છે તેમની સામે કોઈ નક્કર પુરાવા નથી અને તલવાર દંપતિ હત્યારા નથી. અર્થાત સીબીઆઈ તલવાર દંપતિની સામે પર્યાપ્ત પુરાવાઓ એકત્ર કરવામાં નિષ્ફળ નીવડી. અગાઉ પરિસ્થિતિજન્ય સાંયોગિક પુરાવાઓને આધારે તેમને દોષી ઠેરવવામાં આવ્યાં હતા. ૨૦૧૦ માં સીબીઆઈએ કહ્યું કે તલવાર દંપતિની સામે કોઈ પુરાવાઓ ન હોવાથી સીબીઆઈ કેસ બંધ કરી દેવા માંગે છે પરંતુ સીબીઆઈ કોર્ટે કેસ બંધ કરવાનો ઈન્કાર કરી દીધો અને સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને ચાર્જશીટમાં ફેરવી નાખ્યો. જેકે ત્યારે સીબીઆઈ કહ્યું હતું કે તલવાર દંપતિની સામે કોઈ પુરાવા ન હોવા છતાં એજન્સીનું માનવું છે કે રાજેશ તલવારે જ આરૂષિની હત્યા કરી છે. આરૂષી-હેમરાજ ડબલ મર્ડર કેસમાં અત્યાર સુધીમાં અનેક વળાંક, ઉલટફેર આવ્યાં છે. આ કેસમાં તલવાર દંપતિને દોષી ઠેરવવામાં આવ્યા હોવા છતાં પણ હજુ પણ આ કેસ રાષ્ટ્ર માટે એક રહસ્યમયી કોયડા સમાન રહ્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.