Ahmedabad

ફાજલ જાહેર કરેલી અને સરકાર સંપ્રાપ્ત થયેલી જમીનોનો ભોગવટો કાયદેસર કરવાની મુદ્દત લંબાવાઈ

ગાંધીનગર, તા.રપ
રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા શહેરી જમીન ટોચમર્યાદા કાયદા અંતર્ગત વધારાની ફાજલ જાહેર કરેલી અને સરકાર સંપ્રાપ્ત થયેલ જમીનો પૈકીની ચોક્કસ જમીનોનો ભોગવટો કાયદેસર કરવા અંગેની અરજી સ્વીકારવાની સમયમર્યાદા આગામી તા.૩૧/૧ર/ર૦૧૭ સુધી લંબાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ પણ ભોગવટો કાયદેસર કરવાની અરજીઓ અરજદારો તરફથી આવતી હોવાથી તેમજ કાયદામાં સુધારો કરવામાં આવી રહ્યો છે. જેમાં ભોગવટો ધરાવનારે પેટા કલમ (ર) હેઠળ નોટિસ મળેથી સરકાર જાહેરનામાથી નક્કી કરે તે મુદ્દતમાં નોટિસમાં જણાવ્યા પ્રમાણેની જરૂરી ચૂકવણી કરવાની રહેશે. આ ઉપરાંત કલમ-૮માં પણ રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી લીધેલ ધિરાણના કિસ્સામાં ધિરાણ ન ભરવાના કિસ્સામાં બેંકોને તણેનું ધિરાણ સંબંધિત કાયદા મુજબ વસૂલ કરવામાં ૧પ વર્ષની જોગવાઈ લાગુ પડશે નહીં. આ સુધારાનો ભોગવટેદારને લાભ મળે તે હેતુથી અરજી કરવા અંગેની મુદ્દત તા.૩૧/૧ર/ર૦૧૭ સુધી લંબાવવામાં આવી છે, તેમ મહેસૂલ વિભાગની યાદીમાં જણાવાયું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
AhmedabadCrime

બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
Read more
AhmedabadGujarat

વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.