Gujarat

સુરત ખાતે ભાજપનું મહાસંપર્ક અભિયાન ૧રમી સુધી ચાલશે

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૭
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઇને ભાજપ દ્વારા રાજ્યવ્યાપી ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ અમદાવાદમાં, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં જનસંપર્ક મહાઅભિયાન શરૂ કર્યાનું જાણવા મળે છે.આ અભિયાનના ભાગરુપે સુરતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધ્યા હતા.
સુરત શહેર ભાજપા અધ્યક્ષ નીતિનભાઈ ભજિયાવાલાની આગેવાની હેઠળ સુરતના સૈયદપુરા પારસી શેરી વિસ્તારથી મહાસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. શહેર ભાજપના તમામ પદાધિકારીઓ અને આગેવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે ઘરોઘર જઈને લોકોને મળી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જનતા જર્નાદનને ઉદ્દેશીને જે સંદેશા લખેલ છે તે લોકો સુધી પહોચાડવાની કામગીરી ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી કામગીરી અને સિદ્ધિઓને પણ આવરી લેવામાં આવી છે. ૭મીથી ૧૨મી નવેમ્બર સુધી શહેરના તમામ વોર્ડમાં ભાજપના આગેવાનો-પદાધિકારીઓ અને સંભવિત ઉમેદવારો જનસંપર્ક અભિયાનનો રિપોર્ટ પ્રદેશ અધ્યક્ષ સમક્ષ રજૂ કરવામાં આવશે. જનસંપર્ક અભિયાન બાદ ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. અત્રે નોધનીય છે કે ભાજપ દ્વારા ગુજરાતભરમાં ગૌરવ મહાસંપર્ક ઝૂંબેશ શરૂ કરાતા ચૂંટણી પ્રચારમાં ઉત્સાહ આવી ગયો છે અને ધીરે ધીરે ચૂંટણી પ્રચારનો માહોલ જામી રહ્યાં છે અને રાજકીય પક્ષોના કાર્યકરોમાં પણ ઉત્તેજના છવાઈ જવા પામી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.