National

પગારમાંથી કંપનીને ભરપાઈ કરવામાં આવતો હિસ્સો GSTમાં આવશે ? જો નિયમમાં ફેરફાર થયો તો તમારે કદાચ વધારે ટેક્ષ ચૂકવવો પડે

(એજન્સી) તા.૧૬
હવે કર્મચારીઓનાી પગાર પર પણ જીએસટીનો અસર જોવા મળશે. એક સમાચારપત્રે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે, આ અસરને લીધે દેશભરની કંપનીઓ એમના કર્મચારીઓના પગાર પેકેજમાં નોંધપાત્ર ફેરફારની તૈયારીઓ કરી રહી છે કારણ કે હવે કર્મચારીઓનું પગાર બ્રેકઅપ કંપનીઓને ભારે પડી શકે છે. ઘરનું ભાડું, મોબાઈલ અને ટેલિફોન બિલ, હેલ્થ ઈન્સ્યોરન્સ, ટ્રાન્સપોર્ટેશન વગેરે જેવા પગાર બ્રેકઅપ જો જીએસટી અંતર્ગત આવી જશે તો કંપનીઓ એ કર્મચારીઓના પગાર પેકેજ ફરીથી નક્કી કરવા પડશે. ટેક્ષ જાણકારોએ કંપનીઓને સલાહ આપવાનું શરૂ કરી દીધું છે કે તે તેના એચઆર વિભાગને કર્મચારીના પગાર બ્રેકઅપને નવેસરથી સમજવા માટે આદેશ આપે. ઉલ્લેખનીય છે કે, ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (એએઆર)એ તાજેતરમાં આપેલા એક નિર્ણય પછી કંપનીઓ કર્મચારીના પગારને લઈ જાગૃત થઈ ગઈ છે. તે ટેક્ષ બચાવવા માટે નવા પગાર બ્રેકઅપ પર કામ કરી રહી છે. એએઆર દ્વારા એક ખાસ કેસમાં નિર્ણય આપવામાં આવ્યો છે કે, કંપનીઓ કેન્ટીન ચાર્જ નામે કર્મચારીના પગારમાંથી જે રકમ કાપે છે તે જીએસટીના માળખામાં આવશે. આ નિર્ણય પછી જાણકારોનું માનવું છે કે, કંપનીઓ દ્વારા કર્મચારીઓને આપવામાં આવતી સુવિધાઓ જેના બદલામાં પગારમાંથી રકમ કાપવામાં આવે છે તેનો સમાવેશ જીએસટીના માળખામાં કરવામાં આવશે. જાણકારો પ્રમાણે કર્મચારીઓના પગારમાં એવા ઘણા બ્રેકઅપનો સમાવેશ થાય છે. જેના બદલામાં કંપનીઓ સેવાઓ પૂરી પાડતી હતી પરંતુ ટેક્ષ વિભાગ માટે આ સેવાઓ પર જીએસટીનો અનુમાન લગાવવું મુશ્કેલ હતું અને કંપનીઓ પોતાનું ટેક્ષ બચે તે રીતે પગાર બ્રેકઅપ તૈયાર કરતી હતી. જો કર્મચારીને આપવામાં આવતી સેવાઓનો જીએસટીમાં સમાવેશ જીએસટીમાં કરવામાં આવે તો કંપનીઓ આ જીએસટીને પણ કર્મચારીના કોસ્ટ ટુ કંપનીમાં જોડી દે જેથી તેના ટેક્ષ પર અસર ન પડે પરંતુ તેનાથી કર્મચારીઓના પગાર પર અસર પડશે તેમને કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ પર જીએસટી આપવું પડશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.