National

મમતા બેનર્જીએ માનસિક શાંતિ માટે મંદિરોમાં જવું જોઈએ : ત્રિપુરા સીએમ બિપ્લબ કુમાર દેબ

અગરતલા, તા.ર૬
ત્રિપુરામાં ભાજપની જીતનો અસ્વીકાર કરનાર મમતા બેનર્જીની ઝાટકણી કાઢતાં ત્રિપુરાના સીએમ બિપ્લબ કુમાર દેબે કહ્યું કે, મમતા બેનરજીએ હોસ્પિટલમાં તેમના મગજની તપાસ કરાવવી જોઈએ. નવા ચૂંટાયેલા આ મુખ્યમંત્રીએ તૃણમૂલ કોંગ્રેસના વડાને માનસિક શાંતિ માટે મંદિરોમાં જવાની સલાહ આપી છે.
મમતા બેનરજીએ આ પહેલાં કેસરિયા પક્ષની જીતને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની જીત સાથે સરખાવી. તેણીનીએ દાવો કર્યો હતો કે બીજેપીની જીત તેમના માટે કોઈ મહત્ત્વ ધરાવતી નથી.
ત્રિપુરાની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી-ઈન્ડિજીન્સ પિપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરાના (આઈપીએફટી) ગઠબંધને બેતૃતિયાંશ બહુમતી સાથે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાને (સીપીઆઈ) હરાવી દીધી હતી. ડાબેરીઓના ગઢમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ૯ બેઠકોમાંથી ૩પ બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે સીપીઆઈએમ માત્ર ૧૭ બેઠકો જીતી શકી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.