National

બિહાર : દલિત વિરોધી નીતિઓ અંગે જેડીયુના નેતા ઉદય નારાયણ ચૌધરીએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

(એજન્સી) પટણા, તા. ૨
બિહાર વિધાનસભાના અધ્યક્ષ અને જેડીયુના વરિષ્ઠ નેતા ઉદય નારાયણ ચૌધરીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. બુધવારે તેમણે આ વાતની જાહેરાત કરી છે. અહેવાલો મુજબ તેમણે પક્ષની દલિત વિરોધી નીતિઓને કારણે રાજીનામું આપ્યું છે. તેમણે જણાવ્યું કે દલિત સમુદાય સામેના અત્યાચારો અટકાવવામાં રાજ્યની નિષ્ફળતાને કારણે તેમણે રાજીનામું આપ્યું છે. ચૌધરીએ જણાવ્યું કે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર સાથે તેમણે દલિતો સામેના અત્યાચાર અંગેની પોતાની ચિંતાઓ વિશે ચર્ચાઓ કરી હતી પરંતુ તેમણે કરેલા સૂચનોને ગંભીર રીતે લેવામાં આવ્યા નથી. નોંધનીય છે કે ચૌધરીની પાર્ટી સાથે છેડો ફાડવાની અટકળો ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. ચૌધરી પોતાના પક્ષની વિરૂદ્ધમાં ઘણી વાર નિવેદનો કરી ચુક્યા હતા.
અહેવાલો મુજબ ચૌધરીએ જણાવ્યું છે કે મેં જેડીયુ છોડવાની જાહેરાત કરી છે અને બિહારમાં દલિતો સાથે થઇ રહેલા વ્યવહારને કારણે મેં આ નિર્ણય લીધો છે. ચૌધરી છેલ્લા ઘણા દિવસોથી પાર્ટી સહિત મુખ્યપ્રધાન નીતિશ કુમારથી નારાજ હતા. તેમણે સરકાર સામે બળવાનું વલણ અપનાવ્યું હતું. મંગળવારે તેમણે દલિતોના સમર્થનમાં એક કૂચનું પણ આયોજન કર્યું હતું. એટલું જ નહીં, પટણામાં યોજાયેલા યશવંતસિંહાના કાર્યક્રમમાં પણ તેમની સક્રિયતા જોવા મળી હતી.
એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિરોધ પક્ષ રાજદના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડમાં જેલની સજા થયા બાદ પણ ચૌધરીએ પોતાની જ સરકાર સામે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભલે જ નીતિશ અને ભાજપ લાલુ પ્રસાદને જેલમાં મોકલાવી દે, તેનો રાજકીય લાભ લાલુ અને તેમના પક્ષને જ થવાનો નક્કી છે. ચૌધરીએ લાલુ સાથે રાંચીની બિરસા મુંડા જેલમાં મુલાકાત પણ કરી હતી. ત્યાર પછીથી બિહારના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.