National

કર્ણાટકમાં કોંગ્રેસની મદદ સાથે યોગેન્દ્ર યાદવની પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે

(એજન્સી) તા.૪
૨૮ એપ્રિલના રોજ કર્ણાટકના હુલિકેરે ગામમાં બિરાશૈવ-લિંગાયતોએ માડીયા જિલ્લામાં મેલુકોટે વિધાનસભા મતક્ષેત્રમાંથી સ્વરાજ ઇન્ડિયાના ઉમેદવાર દર્શન કુટાનૈયાને પોતાનો ટેકો જાહેર કરવા એક મોટી ચૂંટણી રેલીનું આયોજન કર્યું હતું. કર્ણાટકમાં ૧૨ મેના રોજ ચૂંટણી છે. સ્વરાજ ઇન્ડિયા એ સ્વરાજ અભિયાનની પાંખ છે જેની સ્થાપના ૨૦૧૫માં આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ અને આનંદકુમાર દ્વારા કરવામાં આવી હતી. ૨૦૦૦ની માનવ મેદનીને સંબોધનાર તમામે ધાર્મિક લઘુમતી દરજ્જા માટે લિંગાયત સમુદાયની માગણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. મેલુકોટેમાં ચૂંટણી જંગે લોકોનું ધ્યાન ખેંચ્યું છે કારણ કે કોંગ્રેસે યોગેન્દ્ર યાદવની પાર્ટી સ્વરાજ ઇન્ડિયાના ઉમેદવાર દર્શન કુટ્ટાનૈયા સામે કોઇ ઉમેદવાર નહીં ઊભો રાખવાનો કોંગ્રેસે નિર્ણય લીધો છે. હુલિકેરેમાં યોજાયેલ આ રેલીમાં માનવ મેદનીની અપેક્ષા હતી કે કુટ્ટાનૈયા લઘુમતી દરજ્જા માટેની તેમની માગણીને સમર્થન આપશે. જો કે તેમણે આ વિવાદાસ્પદ મુદ્દાને નહીં ઉછાળીને બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા હતા. તેના બદલે તેમણે ખેડૂતો માટે લડવાની પોતાની યોજના અંગે વાત કરી હતી. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે મારી ઉમેદવારીને કોંગ્રેસનો દેખીતો ટેકો છે તેનો અર્થ એ નથી કે ત્રિશંકુ વિધાનસભામાં મારે તેમને ટેકો આપવો પડશે. દર્શન કુટ્ટાનૈયા (ઉ.વ.૪૦) કર્ણાટક રાજ્ય રૈથાસંઘના નેતા કે એસ કુટ્ટાનૈયાના સૌથી મોટા પુત્ર છે. આ સંગઠન ૧૯૯૦ અને ૨૦૦૦માં અનેક આંદોલનો પાછળ જેનું પીઠબળ હતું એવું એક બિનરાજકીય કિસાન સંગઠન છે. સોફ્ટવેર પ્રોફેશનલ દર્શન કુટ્ટાનૈયા અમેરિકામાં ડેનવર ખાતે જેનું વડું મથક છે એ સોફ્ટવેર ક્વિનીક્સ ટેકનોલોજીના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર છે અને તેની ઓફિસ મૈસૂર ખાતે છે કે જ્યાં ૭૦ કર્મચારીઓ કામ કરે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.