National

મોદી વિરૂદ્ધ બોલવાનું શરૂ કર્યું તો બોલીવુડમાં કામ મળવાનું બંધ થઈ ગયું : પ્રકાશ રાજ

(એજન્સી) તા.૪
બોલીવુડ અભિનેતા પ્રકાશ રાજે ભાજપ અને સંઘ પરિવાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી વિરૂદ્ધ બોલવાના કારણે તેમને ફિલ્મો નથી મળતી. એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે, ગયા વર્ષે ઓક્ટોબરમાં જ્યારે એમણે વરિષ્ઠ પત્રકાર અને સામાજિક કાર્યકર ગૌરી લંકેશની નિર્દયી હત્યા વિશે વડાપ્રધાનના મૌન પર પ્રશ્નો ઉઠાવ્યા અને એમની ટીકા કરી ત્યારથી ફિલ્મ જગતે તેમની અવગણના શરૂ કરી દીધી છે. પ્રકાશ રાજે કહ્યું કે દક્ષિણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આવી કોઈ સમસ્યા નથી પરંતુ હિન્દુ ફિલ્મ ઉદ્યોગ તરફથી તેમને કોઈ ઓફર મળી નથી. પ્રકાશ રાજે કહ્યું હતું કે, તે આ બાબતે ચિંતિત નથી કારણ કે તેમની પાસે પૂરતા પ્રમાણમાં પૈસા છે. ઉલ્લેખનીય છે કે, કન્નડ પત્રકાર ગૌરી લંકેશની હત્યા પછી પ્રકાશ રાજ સતત મોદી સરકાર પર પ્રહાર કરે છે. પ્રકાશ રાજે કહ્યું હતું કે ગૌરીના મૃત્યુએ મને ઘણો પરેશાન કર્યો હતો કારણ કે તે પ્રશ્ન પૂછી રહી હતી. જ્યારે એમને ચૂપ કરી દેવામાં આવ્યા ત્યારે મેં પોતાની જાતને દોષિત અનુભવી અને મને લાગ્યું કે, શું આપણે એના સંઘર્ષમાં એને એકલી છોડી દીધી ? ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં હિન્દત્વવાદી સંગઠનના સભ્યોએ ગૌરી લંકેશની ગોળી મારી હત્યા કરી દીધી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.