National

કાશ્મીરમાંથી ‘અફસ્પા’ને દૂર કરવાનો કેન્દ્રનો વિચાર : કિરણ રિજિજુ

(એજન્સી) તા.૭
કેન્દ્રીય ગૃહ ખાતાના રાજ્યમંત્રી કિરણ રિજિજુએ એવી જાહેરાત કરી છે કે, જો સ્થિતિ સુધરી જાય તો વિવાદગ્રસ્ત કાશ્મીરમાંથી ‘અફસ્પા’ હટાવી લેવામાં આવશે તેવો કેન્દ્રનો વિચાર છે.
કેન્દ્ર સરકારે મેઘાલયમાંથી આ એકટ હટાવી લીધો છે અને અરૂણાચલમાં સીમિત કરી નાખ્યો છે ત્યારે આ સંબંધે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રીએ ઉપર મુજબ જણાવ્યું હતું.
આર્મ્ડ ફોર્સિઝ સ્પેશ્યલ પાવર્સ એકટ (અફસ્પા) વાસ્તવમાં સેનાને વિશે સત્તાઓ આપે છે જયાં હિંસા છે તેવા રાજ્યોમાં કંટ્રોલ કરવા માટે આ એકટનો ઉપયોગ કરવામાં આવે છે.
પરંતુ હવે જો કાશ્મીર, આસામ અને નાગાલેન્ડ જેવા રાજ્યોમાં સલામતિની સ્થિતિ સુધરે તો ત્યાંથી અફસ્પા હટાવી લેવામાં આવશે તેવો સરકારનો ઈરાદો છે.
અત્યારે નાગાલેન્ડમાં હિંસા છે. પરંતુ નાગા પીસ ટોકથી ઘણી આશા છે. નાગાલેન્ડનાં બળવાખોર જૂથ સાથે સરકારના મધ્યસ્થિની વાટાઘાટો ચાલી રહી છે અને ત્યાં શાંતિ સ્થપાશે તો અફસ્પા હટાવી લેવાશે.
રિજિજુએ કહ્યું કે, છેલ્લા ચાર વર્ષો દરમિયાન ઉત્તર-પૂર્વના રાજ્યોમાં સ્થિતિ સુધરી છે માટે કેટલાક રાજ્યોમાં આ એકટ હટાવી લેવામાં આવ્યો છે.
હવે બાકીના હિંસાગ્રસ્ત અને અશાંતિગ્રસ્ત રાજ્યોમાં પણ જો સલામતિની સ્થિતિ સુધરી જાય તો ત્યાંથી પણ આ એકટ હટાવી લેવામાં સરકારને કોઈ વાંધો જ નથી. લોકોને શાંત જીવન મળવું જોઈએ તેજ સરકારનો હેતુ છે.
ત્રિપુરા રાજ્યમાંથી અશાંતિને દૂર કરવા અને હિંસા ખતમ કરવામાં સફળતા મળી છે તેવો દાવો એમણે કર્યો છે. મિઝોરમમાં પણ ભાડૂત ઉગ્રવાદીઓનું અસ્તિત્વ રહ્યું નથી.
હવે આસામ અને જમ્મુ-કાશ્મીર રાજ્યમાં શાંતિની સ્થિતિ નિમર્ણિ કરવામાં અવરોધો છે અને ત્યાં પણ હિંસા નાબૂદ કરવા અને લોકોને સલામતી પૂરી પાડવા અફસ્પાને લાગુ કરાયો છે.
આમ છતાં આવા રાજ્યોમાં ઝડપથી સ્થિતિ સુધરે તો સેનાને અપાયેલા વિશેષ સત્તાવાળા આ એકટને હટાવી લેવામાં આવશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.