National

ચીનનો મુકાબલો કરવા અંદમાન-નિકોબારમાં લડાકુ વિમાન તૈનાત કરશે ભારત

નવી દિલ્હી, તા.૯
બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રથમવાર ભારતે ચીનનો મુકાબલો કરવા અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ફાઈટર જેટ તહેનાત કરવાનો નિર્ણય કર્યો છે. ફાઈટર જેટ તહેનાત કરીને અંદમાન અને નિકોબાર ટાપુઓના મલક્કા, સુંદા, લુમ્બોક અને ઓમ્બઈ વેતાર વિસ્તાર ઉપરાંત હિંદ મહાસાગરના પશ્ચિમ ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત બનાવવાનો ભારતનો પ્રયાસ છે. મહત્ત્વનું છે કે, બીજા વિશ્વયુદ્ધ બાદ આ પ્રથમ ઘટના બનશે જ્યારે અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ફાઈટર જેટ તહેનાત કરવામાં આવશે.મલક્કા, સુંદા અને લુમ્બોક સાંડકા સમુદ્રી રસ્તાઓ છે જે હિંદ મહાસાગરને દક્ષિણ ચીન સાગર સાથે જોડે છે. વિશ્વ વ્યાપારનો ૭૦ ટકા વ્યાપાર આ સાંકડા સમુદ્રી માર્ગ પરથી થાય છે. ગત કેટલાંક વર્ષો દરમિયાન વધુમાં વધુ ચીની યુદ્ધ જહાજો, સબમરીન અને પરમાણુ સબમરીન ભારતના સમુદ્રી વિસ્તારમાં જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતના સમુદ્રી વિસ્તારમાં ચીન તેનું પ્રભુત્વ વધારવા પ્રયાસ કરી રહ્યું છે.
હાલમાં જ ઈન્ડિયન નેવીએ ભારતીય સમુદ્રી વિસ્તારમાં ઘુસેલા ચીની યુદ્ધ જહાજનો ફોટો ટ્‌વીટ કરીને બિજીંગને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ઈન્ડિયન નેવી ચીનની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. વિતેલા સમયમાં આક્રમક થયેલા ચીન સામે અંદમાન-નિકોબાર ચેન લાઈનને ડિફેન્સ લાઈન તરીકે તૈયાર કરવાની કેન્દ્ર સરકારની યોજના છે. જેને અમલમાં મુકવા માટે મોદી સરકાર વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.