Gujarat

મુંદરાના પશુઓ માટે ૩૦૦ એકર જમીન અદાણી ‘SEZ’ પાસેથી પરત લેવા ઠરાવ

મુંદરા, તા.૯
મુંદરા ગામ તથા આજુબાજુના લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે. તેઓના મૂંગા ઢોરોના ખોરાક માટે ઘાસચારાનો મોટો પ્રશ્ન છે. અત્રે ઢોરોની સંખ્યાના પ્રમાણમાં ગૌચર ન હોઈ પશુઓને ચરાવવા ક્યાં લઈ જવા તે માલધારીઓનો મુખ્ય પ્રશ્ન છે. ત્યારે મુંદરા ગ્રામ પંચાયતે તેની ગત ગ્રામસભામાં ગામના પશુઓ માટે અદાણી ‘સેઝ’ પાસેથી ૩૦૦ એકર જમીન પરત મેળવવા ઠરાવ કરાયો છે.
આ અંગે તા.ર૪ એપ્રિલની ગ્રામ સભામાં અરજદારશ્રી ભરતભાઈ પાતારીયાની અરજી વંચાણમાં લેવામાં આવી. જે મુજબ મુંદરા ગામે પશુધનની વસ્તીના ધોરણે ગૌચર હોવું જરૂરી છે. જેની ચર્ચા અગાઉ સામાન્ય સભા તા.ર૬/૩/ર૦૧૮ના ઠરાવ નંબર :૧-પ-ર૦થી ગૌચર પરત મેળવવા માટે ઠરાવવામાં આવેલ છે. તેઓની રજૂઆત મુજબ ગામે ૧૦૦ ઢોર દીઠ ૪૦ એકર ગૌચર જમીન હોવી જરૂરી છે. ગામે હાલમાં ગૌચર ઉપલબ્ધ નથી. જેના કારણે ગામમાં ગાયો તથા આખલાઓના ત્રાસ વધે છે. ગામના લોકો પશુપાલનના વ્યવસાય ઉપર નિર્ભર છે. જેથી ગામના પશુઓ માટે ૩૦૦ (ત્રણસો) એકર જમીન અદાણી ‘એસઈઝડ’ પાસેથી પરત મેળવવી જરૂરી છે, જેથી ગૌચર પરત મેળવવા માટે સંબંધિત કચેરીમાંથી દરખાસ્ત કરવા સભામાં વિગતવાર ચર્ચા કરવામાં આવી અને ગૌચર પરત મેળવવા માટેની ચર્ચાના અંતે સભામાં સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.