Ahmedabad

જળ સંચયનું અભિયાન જન અભિયાન બન્યું છે : રૂપાણી

અમદાવાદ,તા.૯
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાન ગુજરાતને પાણીની સમસ્યાથી કાયમી મુક્તિ અપાવનારૂ જન અભિયાન બની રહેશે તેનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમદાવાદ જિલ્લાના ઓડ ગામે આ અભિયાન અંતર્ગત તળાવ ઊંડા કરવાના કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, આ જળસંચય અભિયાન ૧૦૦ ટકા જનભાગીદારીથી હાથ ધરાઈ રહ્યું છે. તળાવો ઊંડા કરવાની જે માટી નીકળે છે તેની કોઈ જ રોયલ્ટી સરકાર લેશે નહિં એવો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્યભરમાં ૧૩૦૦૦ તળાવો ઊંડા કરવાનું તેમજ ૩૨ નદીઓ પુનઃજીવીત કરવાનું સૌથી મોટુ જળસંચય અભિયાન દેશભરમાં ગુજરાતની આ સરકારે ઊપાડ્યું છે. આ અભિયાનથી ૧૧૦૦૦ લાખ ઘનફુટથી વધુ પાણીનો જથ્થો સંગ્રહ કરી શકાશે. મુખ્યમંત્રીએ જળસંચયના આ અભિયાનને રાજ્યના લોકો તન મન અને ધનથી તેમજ ઉત્સાહથી સહકાર આપી રહ્યા છે તે માટે અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કચેરી તેમજ જિલ્લા પંચાયતના કર્મચારીઓ-અધિકારીઓ દ્વારા જળસંચયના આ અભિયાન માટે પોતાના એક દિવસના પગાર પેટે રૂપિયા ૧૧ લાખનો ચેક મુખ્યમંત્રી અર્પણ કર્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
AhmedabadCrime

બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
Read more
AhmedabadGujarat

વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.