National

નાટકમાં જીવતા સાપનો ઉપયોગ કર્યો, કરડવાથી અભિનેત્રીનું મોત

(એજન્સી) બારાસાત, તા.૧૦
પશ્ચિમ બંગાળના ઉત્તરીય ર૪ પરગણા જિલ્લાના બારૂનહાટ ગામમાં મંગળવારે એક નાટક દરમિયાન જીવતા સાપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અભિનેત્રીને સાપ કરડતાં તેનું મોત નિપજ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ ૬૩ વર્ષીય અભિનેત્રી કાલીદાસી મંડલને સાપ કરડ્યા બાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. અભિનેત્રીના સહકલાકારે આરોપ મૂક્યો છેકે તેમની સારવાર માટે બોલાવવામાં આવ્યો હતો. પરંતુ તે નિષ્ફળ રહેતા અભિનેત્રીનું મોત નિપજ્યું હતું. અહેવાલ મુજબ, બારૂનહાટ ગામમાં ‘મંસામંગલ કાવ્ય’ પર આધારિત નાટક ભજવાઈ રહ્યું હતું. આ ગ્રામણી નાટકમાં સાયની જરૂર હતી. કારણ કે મંસા મંગલ નાટકમાં સાપની દેવી મંસાની કહાની છે. પોલીસે જણાવ્યું કે અત્યારસુધી આ કેસમાં કોઈએ ફરિયાદ નોંધાવી નથી. એસપી એસ રાજકુમારે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને અભિનેત્રીના શબને પોસ્ટમોર્ટમ મોકલવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ ઘટના બાદ મુખ્ય વન અધિકારી રબિકાન્ત સિંહાએ જણાવ્યું કે, નાટકમાં સાપનો ઉપયોગ કરવો ગેરકાયદેસર છે. આવી ઘટના આ સાંખી લેવામાં આવશે નહીં. ફરિયાદના આધારે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.