Gujarat

જામનગરમાં એડવોકેટની હત્યાની તપાસ એસીપી પાસે રાખવા ડીજીપીનો આદેશ

જામનગર,તા.૧૦
જામનગરમાં એડવોકેટ કિરીટ જોષીની હત્યાની એસપી પી.બી. સેજુળના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી તપાસ દરમ્યાન ગઈકાલે બપોરે રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શિવાનંદ ઝાએ આગળની તપાસ અમદાવાદની ક્રાઈમ બ્રાંચને સોંપી આપવાનો આદેશ કર્યા પછી ગઈકાલે સાંજે ભોગ બનનારના પરિવારે શહેર ધારાસભ્ય આર.સી. ફળદુને તપાસ એસપી પાસે જ રાખવા દેવા અને તેઓની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ હોવાનું મંતવ્ય વ્યક્ત કરતા ગઈકાલે રાત્રે મુખ્ય પોલીસ અધિકારીએ કેસની તપાસની બાગડોર એસપી સેજુળને સંભાળી લેવાનો આદેશ કરતા હવે આ કેસની તપાસ ખુદ એસપીએ હાથ ધરી છે. પોલીસે કેટલાક શકમંદોની ગેરહાજરીને લક્ષમાં લઈ બીજા કેટલાક પાસા પણ ચકાસવાનું શરૂ કર્યું છે.
બનાવ પછીની મિનિટોથી આરંભાયેલી પોલીસ તપાસ દરમ્યાન એસપીના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે સંખ્યાબંધ શખ્સોને પૂછપરછ માટે બોલાવી લીધા હતા તેની સાથે સમગ્ર રાજ્યમાં એક વકીલની હત્યાના આ બનાવે ચકચાર પ્રસરાવતા અમદાવાદથી એટીએસની ટૂકડી તથા ક્રાઈમ બ્રાંચના ઓફિસરો પણ જામનગર દોડયા હતા.
તમામ ટૂકડીઓનું સંકલન કરી એસપી સેજુળે આઠ ટૂકડીઓની રચના કરી હત્યાના બનાવમાં સંડોવાયેલા બન્ને શખ્સોને પકડી પાડવા માટે જુદી જુદી દિશામાં રવાના કરી હતી જેમાં હત્યારાઓના કેટલાક સગડ મળ્યા હતા.
તે દરમ્યાન ગઈકાલે બપોરે રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ ઉપરોક્ત હત્યાના બનાવની તપાસ જામનગર પોલીસ પાસેથી લઈને અમદાવાદની ક્રાઈમ બ્રાંચને સોંપી આપવાનો હુકમ કર્યો હતો. આ હુકમની અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચના નાયબ પોલીસ કમિશ્નર તેમજ જામનગરના પોલીસ અધિક્ષકને જાણ કરવામાં આવી હતી. એસપી સેજુળે આજે કરેલી વાતચીતમાં જણાવ્યા મુજબ તેઓએ અત્યાર સુધીમાં હત્યા સાથે સંકળાયેલા કેટલાક પાસાઓની ઝીણવટભરી તપાસમાં મળી આવેલા તથ્યો ઉપરાંત તપાસના કેટલાક નવા શીરાઓને ફંફોળવાનું આરંભ્યું હોવાનું ઉમેર્યું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.