National

ભગવાનનો શ્રાપ માની મધ્યપ્રદેશના ગામે ૪૦૦ વર્ષથી કોઈ મહિલાના બાળકને જન્મ જોયો નથી

(એજન્સી) ભોપાલ, તા.૧૧
મધ્યપ્રદેશના એક ગામમાં વિચિત્ર પરંપરા છેલ્લા ૪૦૦ વર્ષથી ચાલી રહી છે. ગામની હદમાં કોઈપણ મહિલાને બાળકને જન્મ આપવાની મંજૂરી આપતી નથી. અહેવાલો મુજબ ગ્રામજનો માને છે કે, ગામની હદમાં બાળકને જન્મ આપવાની પરંપરા ભગવાનના શ્રાપરૂપ છે. રાજગઢ જિલ્લાના સંકાશ્યામ ગામના રહેવાસીઓનું કહેવું છે કે, આ પરંપરા ૧૬મી સદીથી ચાલી આવે છે. ગામના વડીલો માને છે કે, જો મહિલા ગામની હદમાં બાળકને જન્મ આપે છે તો તેનું અથવા બાળકનું મોત થઈ શકે છે. જે કુદરતનો શાપ હોવાનું ગ્રામજનો માને છે. ગ્રામજનો માને છે કે, જ્યારે ગામમાં મંદિર બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ભગવાને ઘઉં દળતી મહિલાઓને વિચલીત કરી હતી. આ કોપથી કુદરતે ગામમાં કોઈ બાળક ત્યાં નહીં જન્મે તેવો શ્રાપ આપ્યો હતો. ગામની ગર્ભવતી મહિલાઓ માટે ડીલીવરી માટે ગામની બહાર એક વિશેષ રૂમ બનાવાયો છે. ગામના સરપંચ નરેન્દ્ર ગુર્જરે કહ્યું કે, ગામમાં ભગવાનના મંદિરના નિર્માણમાં મહિલાઓએ અવરોધ પેદા કર્યો હતો. જ્યારથી ગામ પર શ્રાપ છવાયો હતો. ગામની ૯૦ ટકા મહિલાઓને હોસ્પિટલમાં ડિલીવરી કરાવાય છે. કોઈ આકસ્મિક સંજોગોમાં જ ગામ બહાર રૂમમાં ડિલીવરી કરાય છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.