National

દસમીમાં ૪ વિષયોમાં નાપાસ થનાર પુત્રને પ્રોત્સાહિત કરવા પિતાએ તેનું સરઘસ કાઢ્યું

(એજન્સી)
ભોપાલ, તા.૧પ
એમ.પી.બોર્ડનું ધોરણ ૧૦ અને ૧રનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ખજૂરાહોમાં એક વિદ્યાર્થીએ પરિણામથી દુઃખી થઈને આત્મહત્યા કરી લીધી. એક તરફ જ્યાં એવું સમજાવવામાં આવે છે કે સફળતા અને નિષ્ફળ જીવનનો ભાગ હોય છે. નાપાસ થવાથી વિદ્યાર્થીઓ ગભરાઈ જાય છે અને મોટું પગલું ભરી લે છે. એવામાં માતા-પિતાએ બાળકોને એ જણાવવું જરૂરી બની જાય છે કે આગળ પણ મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરી શકાય છે. સાગરમાં એક પિતાએ કંઈક આવું જ કર્યું જેની ચર્ચા થઈ રહી છે. સરસ્વતી શિશુ મંદિરમાં અભ્યાસ કરનાર ધોરણ ૧૦નો વિદ્યાર્થી આશુ વ્યાસ ૬માંથી ૪ વિષયમાં નાપાસ થઈ ગયો હતો.
તેના પિતા સુરેન્દ્ર કુમાર વ્યાસે ગુસ્સો કરવાને બદલે દીકરાના પ્રોત્સાહન માટે રેલી યોજી. તેમને ડર હતો કે ક્યાંક દીકરો ખોટું પગલું ના ભરી લે. તેથી તેમણે દીકરાને પ્રોત્સાહન આપવા માટે સરઘસ કાઢ્યું, ફટાકડા ફોડ્યા અને મીઠાઈઓ પણ વહેંચી. આશુએ પોતાના પિતાને વચન આપ્યું છે કે તે ‘રૂક જાના નહીં યોજના’નું ફોર્મ ભરીને ૪ વિષયોનો ફરીથી અભ્યાસ કરશે અને ૧૦માં ધોરણની પરીક્ષા પાસ કરી બતાવશે. આ યોજના હેઠળ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ફરીથી ફોર્મ ભરીને યોગ્ય સમય લઈ પોતાનો અભ્યાસ પૂરો કરી શકે છે. તેની પરીક્ષા ર૦ જૂનથી શરૂ થશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.